Posts

77. અરિસાની જેમ સાક્ષી ભાવ કેળવો

Image
  શ્રીકૃષ્ણ સ્પષ્ટતા કરે છે કે , " જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે , તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે" (3.38-3.39). અગાઉ શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે ગુણો આપણને સંમોહિત કરવાની ક્ષમતા ધરાવે છે.   રજોગુણમાંથી ઉત્પન્ન થતી ઇચ્છા પણ આ જ કરે છે. તેઓ આગળ વિસ્તાર પૂર્વક જણાવે છે કે , “ ઇન્દ્રિયો , મન અને બુદ્ધિ - એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે ; આ કામ આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે ” ( 3.40 ). સાક્ષીભાવ નું શ્રેષ્ઠ ઉદાહરણ એક દર્પણ છે. તેનું જ્ઞાન એટલું જ કે સામે આવેલ વ્યક્તિ કે પરિસ્થિતિ ને કોઈપણ વર્ગીકરણ કર્યા વગર પરાવર્તિત કરે. એમ કરતી વખતે નથી તેના પર કોઈ ભૂતકાળનો ભાર હોતો કે નથી હોતી ભવિષ્યની અપેક્ષાઓ અને તેથી જ તે સદાય વર્તમાનમાં જ હોય છે. તેની અસરકારકતા ત્યારે જ ઘટે છે કે જ્યારે તેના આ જ્ઞાન પર ધૂળનું આવરણ આવી જાય છે. રૂપકની દ્રષ્ટિએ જોઈએ તો આ દર્પણ એ આપણો મૂળભૂત સ્વભાવ છે અને ત...

76. વાસનાથી સાવધ રહો

Image
  અર્જુન પૂછે છે કે , " તો પછી આ માણસ પોતે ન ઇચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે ” (3.36)? જ્યારે વ્યક્તિ માં જાગૃતિ નું પહેલું કિરણ પ્રવેશે છે ત્યારે તેને આ સર્વ સામાન્ય પ્રશ્ન થાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે , " રજોગુણમાંથી ઉદ્દભવેલો આ કામ જ ક્રોધ છે , આ ઘણું ખાનારો એટલે કે ભો ગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે , આને જ તું આ બાબતામાં વેરી જાણ" (3.37). કર્મ પ્રત્યેની આસક્તિ એ રજોગુણની નિશાની છે અને તે ઇચ્છાને કારણે જ ઉદ્દભવે છે. જે રીતે ગાડીમાં તેની ગતિ રજોગુણ ને કારણે ઉદ્ભવે છે અને એક્સિલરેટર એ તો માત્ર તેને પામવાનું સાધન છે. એ જ રીતે ધીમું પડવું તે તમસ નો સ્વભાવ છે અને તેને માટે નું સાધન બ્રેક છે. વાહન ચાલક એ સત્વગુણ નું પ્રતિનિધિત્વ કરે છે જે સરળ અને સલામત સવારી માટે એક્સિલરેટર અને બ્રેક બંનેનું સંતુલન કરે છે. સ્પીડોમિટર એ જાગૃતિ માપન નું સાધન છે. જો સંતુલન ગુમાવી દેવાય તો અકસ્માત થવો સહજ છે.   ભોગ વાસના એ પણ આપણા જીવનમાં સંતુલન નો અભાવ જ છે જેમાં આપણે માત્ર ક્ષણભંગુર સુખ મેળવવા માટે ,   કોઈ વસ્તુ કે વ્યક્તિ ને પ્રાપ્ત કરવા માટે...

75. ધર્મ એક જ છે

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " સારી રીતે આચરવામાં આવેલા પરધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ સ્વધર્મ ઘણો ચઢિયાતો છે , સ્વધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે , જયારે પરધર્મ તો ભયપ્રદ છે" (3.35). આ શ્લોકની જટિલતા આપણા મનમાં સ્પષ્ટતા કરતાં શંકા વધારે જન્માવે છે. એક દ્રષ્ટિએ જોવા જતાં આ શ્લોક કુરુક્ષેત્રના યુદ્ધમાં પૂરે પૂરો અર્જુનને જ લાગુ પડે છે. અર્જુન એ યુદ્ધની ક્ષણ સુધી ક્ષત્રિય ધર્મનું પાલન કરતો હતો અને અચાનક જ પછીની ક્ષણે સંત બની જવાની ઇચ્છા રાખે છે. આ પ્રકારનું પરિવર્તન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને શ્રી કૃષ્ણ આ શ્લોકમાં એ જ કહેવા માંગે છે. જયારે ધર્મ કે વાસ્તવિકતા એક જ છે ત્યારે આપણે તેને જુદી-જુદી રીતે સમજીએ છીએ જેમ પેલી વાર્તાના પાંચ અંધ વ્યક્તિઓ તેમના સ્પર્શ દ્વારા એક જ હાથી ને જુદી-જુદી રીતે જુએ છે. જો કોઈ વ્યક્તિ તેને હાથીદાંત તરીકે સમજે તો એ તેની વાસ્તવિકતા અથવા તો સ્વધર્મ છે. આ શ્લોક આગળ સૂચવે છે કે જો કોઈ વ્યક્તિ તેને હાથીદાંત તરીકે સમજે છે તેણે તેને પગ અથવા પૂંછડી તરીકે સમજનાર લોકોના સુંદર રીતે પ્રસ્તુત વર્ણનને અપનાવવાનો પ્રયાસ કરવાને બદલે તેના પોતાના જ માર્ગને અન...

74. શ્રદ્ધા આનંદ લાવે છે

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " જે માણસો દોષદ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે , તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે" (3.31). શ્રદ્ધાને સામાન્ય રીતે વિશ્વાસ કે માન્યતાના અર્થમાં લેવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તે તેનાથી ઘણું જ પરનું છે. આ શ્રદ્ધાની સ્થિતિમાં આપણે સર્વ શંકાઓ થી મુક્ત થઈ જઈએ છે અને આપણા બધા જ પ્રશ્નો પણ ઓગળી જાય છે. માનવજાત એમ જ સમજતી હતી કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે અને આ માન્યતા ત્યાં સુધી ચાલુ રહી કે જ્યાં સુધી તેનાથી ઊલટી સ્થિતિ નું ભાન ન થયું. આ રીતે માન્યતા એ બહારની બાબતો પર અવલંબે છે જ્યારે શ્રદ્ધા એ આંતરિક ગુણ છે. બીજું , કે માન્યતા તેના જ વિરોધી દ્વંદ્વ અમાન્યતા સાથે અસ્તિત્વ ધરાવે છે જ્યારે શ્રદ્ધા એ બંનેને અતિક્રમી જાય છે. ત્રીજી બાબત શ્રદ્ધા એ અંધવિશ્વાસ થી ભિન્ન છે કે જેમાં વ્યક્તિ તેની માન્યતા ની વિપરીત બાજુ સાંભળવા જ નથી ઇચ્છતી. શ્રદ્ધામાં બધી બાબતોનું એકત્વ સાધવા નું હોય છે. માન્યતા કે વિશ્વાસ એ ઉછીના લઇ શકાય, જ્યારે શ્રદ્ધા તો શુદ્ધ રૂપે અનુભવ કેન્દ્રી હોય છે. સમગ્રતા ને ગ્રહણ કરવા માટે વિરોધાભાસને પણ સમજવા અનિવાર્ય હોય ...

73. સમર્પણની કળા

Image
  શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે , " મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો , મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર" (3.30). આ શ્લોકએ ગીતાનો સાર છે અને આપણને દૈનિક જીવન ના ઘણા સંદેહોના ઉકેલ મળે છે. આપણો પહેલો સંદેહ છે કે 'આપણે શું કરવું', અને એ એટલા માટે ઉદ્ભવે છે કે આપણે જે કરી રહ્યા છીએ તેનાથી ખુશ નથી હોતા અને આપણને એમ લાગે છે કે આનંદ કોઈક બીજી ક્રિયામાં છે. આ શ્લોક આપણને સમજાવે છે કે ' જે કામ તમારા હાથ પર છે તેને આપણી શ્રેષ્ઠ ક્ષમતાથી કરો' પછી ભલે તે આપણે પસંદ કર્યું હોય કે આપણા પર થોપવામાં આવ્યું હોય. એ કુ રુ ક્ષેત્રના યુદ્ધ જેટલું ક્રૂર અને જટિલ પણ હોઈ શકે કે જેમાં યા તો વ્યક્તિ મૃત્યુ પામે છે યા મારે છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, આપણી જટિલ માનવ સંરચના એક કોષમાંથી ઉત્ક્રાંતિ પામી છે જ્યાં દરેક ક્રિયા (૫રિવર્તન) અગાવની ક્રિયા સાથે જોડાયેલી છે. તેથી જ હાથ ૫રની કોઇ ૫ણ ક્રિયા હંમેશા ભૂતકાળની ક્રિયાઓની શ્રેણીના પરિણામ રૂપે હશે કેમકે કોઈ એકલ ક્રિયા નથી. બીજો પ્રશ્ન ઉદ્ભવે છે કે 'કેવી રીતે કરવું...

72. ધારણાઓના કેદી

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે ; એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે" (3.29). ગુણો જ વાસ્તવમાં સાચા કર્તા હોવાની સાથે-સાથે તેઓમાં આપણને સંમોહિત કરવાની અને આપણને એવી રીતે અભિમંત્રિત કરવાની ક્ષમતા હોય છે કે આપણે આપણો સાચો સ્વભાવ ભૂલી જ જઈએ છીએ. જ્યાં સુધી આપણને એ ભાન નથી થતું કે આપણે તેના વડે અભિમંત્રિત છીએ ત્યાં સુધી આપણે મંત્રમુગ્ધ જ રહીએ છીએ. શ્રી કૃષ્ણ અજ્ઞાનીઓ અને જ્ઞાનીઓની વાત કરે છે. અજ્ઞાની લોકો ગુણોની માયા હેઠળ સંમોહિત હોય છે અને તેઓને એમ જ લાગે છે કે તેઓ જ કર્તા છે (3.27) અને તેથી તેઓ કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા ,   ક્યાંક પોતાનું મહત્વ વધારવા , કે લોકોનું ધ્યાન ખેંચવાની ઇચ્છા ધરાવતા હોય છે અને પદ-પ્રતિષ્ઠાને માટે લડાઈ કરે છે. સાથે-સાથે તેઓ પોતાના પરિવાર , કામની જગ્યાએ કે સમાજમાં અન્ય લોકોને પણ કર્તા માને છે અને એવી અપેક્ષા રાખે છે કે તેઓ પોતાની અપેક્ષા પ્રમાણે વર્તન કરે અથવા તો કર્મ કરે. આ કાયમી અપરાધ ભાવ , ૫સ્તાવો , ગુસ્સો અને સતત ઝુલતા સફળત...

71. ગુણોની પરસ્પર પ્રક્રિયા

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે , છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની ' હું કર્તા છે ' એમ માને છે (3.27). ગુણવિભાગ અને કર્મવિભાગના તત્ત્વને જાણનારા જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો" (3.28). સમગ્ર ગીતામાં વણાયેલ એક સર્વ સામાન્ય વાત એ છે કે બધા જ કર્મો એ ગુણો વચ્ચે ની પરસ્પર પ્રક્રિયાઓ જ છે. સત્વ , તમો અને રજો આપણામાંના દરેકમાં જુદા-જુદા ભાગે વિદ્યમાન છે. સત્વગુણ એ જ્ઞાન સાથેની આસક્તિ છે ; રજોગુણ એ કર્મ સાથેની આસક્તિ છે અને તમસ આપણને અજ્ઞાનતા અને આળસ તરફ લઈ જાય છે. અત્રે એ બાબત નોંધનીય છે કે કોઈ ગુણ બીજા કોઈપણ ગુણ કરતા વધારે સારો કે ખરાબ નથી ; એ માત્ર ગુણ જ છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિમાં રજોગુણની માત્રા વધારે હશે તો તેઓ સતત ક્રિયાશીલ જ રહેશે અને તેઓ પૂરતી ઊંઘ નહી કરી શકે આ રીતે ઊંઘ વા માટે તેઓને તમસની જરૂર પડશે. બીજી બાબત એ કે આપણે વર્તમાન ક્ષણમાં આપણા પર પ્રભુત્વ જમાવવાર ગુણ બાબતે જાગૃત થવાની જરૂર છે. ઉદાહરણ તરીકે તમસની અસર હ...