47. ભ્રમ થી બચો
આપણા રોજબરોજના સામાન્ય જીવનમાં જ્યારે આપણે સમાચાર , દર્શનશાસ્ત્ર , અન્ય લોકોના અનુભવો કે માન્યતાઓ બાબતે વિરોધાભાસી અભિપ્રાયો સાંભળીયે છીએ ત્યારે આપણે ખૂબ જ મુંઝવણ અનુભવીએ છીએ. શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે આપણી બુદ્ધિ વિવિધ વિચારો સાંભળવા છતાં નિશ્ચલ અને સમાધિ અવસ્થા માં સ્થિર થાય ત્યારે આપણે યોગની સ્થિતિ પ્રાપ્ત કરીએ છીએ (2.53). આને સમજવા માટેનું શ્રેષ્ઠ રૂપક એક વૃક્ષ હોઈ શકે જે નો ઉપરનો ભાગ દૃશ્યમાન છે જ્યારે નીચેનો મૂળવાળો ભાગ અદ્રશ્ય છે. આ ઉપરના ભાગ પર જુદી-જુદી તીવ્રતાના પવનોની અસર થાય છે જ્યારે નીચેના મૂળિયાં ના ભાગ ૫ર આની કોઈ જ અસર પડતી નથી. ઉપરનો ભાગ બહાર ના પરિબળોને લીધે સતત હલનચલન કરતો રહે છે જ્યારે નીચેનો ભાગ સમાધિમાં નિશ્ચલ રહીને પોતાની સ્થિરતા અને પોષણ આપવાની ફરજ બજાવતો જ રહે છે. એક વૃક્ષને માટે આ એક યોગ જ છે જેમાં તેનો બહારનો ભાગ સતત ચલિત થતો રહે છે ક્યારે અંદરનો ભાગ નિશ્ચલ રહે છે. આપણી અજ્ઞાનતાની કક્ષાએ આપણી બુદ્ધિ બહારના ઉત્તેજનાને લીધે પોતાની રીતે જ સતત કંપિત રહે છે. આ કંપનો બહારની દુનિયામાં પણ ગુસ્સા અને ત્વરિત પ્રતિક્રિયા રૂપે દેખાઈ જાય છે. આને લીધે વ્યક્તિના...