51. ઘૃણા ૫ણ એક બંધન છે
સામાન્ય રીતે કોઈ પરિસ્થિતિ , વ્યક્તિ કે કોઈ કામ માંથી મળતા પરિણામને ત્રણ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે : શુભ, અશુભ કે કોઈ જ વર્ગીકરણ નહીં. શ્રીકૃષ્ણ ત્રીજી સ્થિતિને માટે કહે છે કે જ્ઞાની વ્યક્તિ એ છે કે જે શુભ પામીને ઉત્સાહી નથી થઈ જાતો કે અશુભ પામીને દ્વેષ નથી કરતો ; તે સદાય અનાસક્ત રહે છે ( 2.57 ). આનો અર્થ એ થાય છે કે સ્થિતપ્રજ્ઞ લોકો (કે જેની બુદ્ધિ નિશ્ચયાત્મક બની છે તેવા) ૫રિસ્થિતિનું વર્ગીકરણ કરવાનું છોડી દઈને વાસ્તવિકતાઓને યથાતથ સ્વીકારે છે કારણ કે આવા વિભાજનો માંથી જ સુખ અને દુઃખના દ્વંદ્વ જન્મે છે ( 2.50 ). આ શ્લોક નું આચરણ કરવું અઘરું છે કારણ કે તે નૈતિકતા કે સામાજિક સંદર્ભ માં તથ્યોને તરત જ શુભ કે અશુભ રૂપમાં વિભાજન કરવાના આપણા વલણથી વિપરીત છે . જ્યારે કોઈના જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ કે વ્યક્તિ નો સામનો થાય છે કે જેને ખરાબ એવું નામ અપાયું છે ત્યારે તેના પ્રત્યે અણગમો , અપાકર્ષણ અને ઘૃણા આપોઆ૫ જ ઉદ્દભવે છે. જ્યારે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કશું નામકરણ કરતી જ ન હોવાને લીધે તેને માટે દ્વેષ કરવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. અને એ જ રીતે જ્યારે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કશાંક શુભના...