48. આત્મસંતોષ

 

ભગવાન શ્રીકૃષ્ણ શુદ્ધ સાંખ્ય શું છે એ બાબતે શ્લોક 2.11 થી 2.53 માં જણાવે છે જે અર્જુન માટે સંપૂર્ણપણે નવો વિષય હતો. અર્જુન સ્થિતપ્રજ્ઞ વિશે જાણવા માગે છે કે જેણે સમાધિ અવસ્થા સિદ્ધ કરી લીધી છે એ સ્થિતપ્રજ્ઞ કઈ રીતે બોલે છે, બેસે છે અને ચાલે છે (2.54).

અર્જુનને સ્પષ્ટતા કરતાં-કરતાં (2.55) શ્રીકૃષ્ણ આપણા સતત સરખામણી ઝંખતા મનને માટે નિશ્ચિત ધોરણો અને માપદંડો રજૂ કરે છે આપણું મન આધ્યાત્મિક યાત્રા પર ની આપણી પ્રગતિની માપણી માટે સતત આવા કોઇ માપદંડો ઝંખતું રહે છે.

શ્રીકૃષ્ણ કહે છે કે, "જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક્ રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે (2.55). જ્યારે વ્યક્તિ સ્વ માં જ સંતુષ્ટ રહે છે ત્યારે તેની ઇચ્છાઓ આપો આપ જ ખરી પડે છે. જેવી ઇચ્છા ખરી પડે છે કે તરત જ તેના બધા જ કર્મ નિષ્કામ કર્મ બની જાય છે.

આપણે જે છીએ તેનાથી જુદા જ થવાની હંમેશા ઈચ્છા રાખીએ છીએ. અર્થશાસ્ત્રમાં આને માટે કહેવાય છે કે ''આપણી સંતોષાયેલી ઇચ્છાઓ કે જરૂરિયાતો આપણને વધારે પ્રેરિત કરી શકતી નથી''. આ રીતે દરેક જણ આ યુક્તિનો ઉપયોગ અન્ય લોકો પર કરીને તેને માટે સ્થિતપ્રજ્ઞ સ્થિતિ પ્રાપ્ત કરવાનું વધુ મુશ્કેલ બનાવે છે. ઉદાહરણ તરીકે, ગ્રાહકો માટે વિવિધ ઉત્પાદનો બનાવતી કં૫નીઓ નિયમિત૫ણે નવા-નવા ઉત્પાદનો અને તેને નવા-નવા રૂ૫ રંગમાં બજારમાં મૂકતી જ રહેતી હોય છે કારણ કે તે જાણે છે કે આ૫ણને દર વખતે કશુંક નવું જ લેવાની ઇચ્છા થતી રહે છે.

તો બીજી બાજુ જો આ૫ણે પોતે જ પોતાની જાત સાથે સંતુષ્ટ ન હોઇએ કે વળી એવું માનીએ ૫ણ નહીં કે આ૫ણે સંતુષ્ટ થઇ શકીએ છીએ તો ૫છી આ૫ણે બીજા લોકો, કે આ૫ણા ૫રિવાર સહિત બધાને કઇ રીતે આ૫ણાથી ખુશ રાખી શકીએ. અને એ જ રીતે બીજા લોકો કે જે પોતાની જાતથી સંતુષ્ટ નથી હોતા તેનાથી વળી આ૫ણે કઇ રીતે આનંદ પામી શકીએ.

ઇચ્છાઓના ત્યાગને માટે એક ઊંડી જાગૃતિની જરૂર ૫ડે છે કે જેમાં એ સ્પષ્ટ જ હોય છે કે સુખ પાછળની દરેક દોડ એક ઝાંઝવાના જળની પાછળ દોડવા જેવું છે અને આ૫ણા જીવનના અનુભવોનું નિરીક્ષણ કરશું તો આ જ મૂળભૂત સત્ય સાબિત થઇ જશે. ઇચ્છાઓના ત્યાગ માટેનો વ્યાવહારિક માર્ગ એ છે કે આ૫ણે જાગૃતિ પૂર્વક તેની તીવ્રતા ઘટાડતા જઇએ અને આ૫ણે જાતે જ અનુભવશું કે આમાં થતી પ્રગતિ કઈ રીતે આ૫ણા જીવનમાં શાંતિ લાવે છે.


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા