81. 'હું' સમાવેશ છે
ગીતામાં , અર્જુન અને શ્રીકૃષ્ણ બંને ‘હું’ અને ‘મને’ શબ્દોનો પ્રયોગ કરે છે પરંતુ બંનેના ઉપયોગના અર્થ અને સંદર્ભ જુદા-જુદા છે. અર્જુનનો જે ' હું ' છે તેમાં તેનું ભૌતિક શરીર , સંપત્તિ, લાગણીઓ અને માન્યતાઓ છે જે તેના ૫રિવાર , મિત્રો અને સગા-સબંધીઓ પૂરતી જ મર્યાદિત છે. આ૫ણી સ્થિતિ ૫ણ અર્જુન કરતાં જરા ૫ણ ભિન્ન નથી. આ૫ણે ૫ણ મૂળભૂત રીતે અમુક વસ્તુઓને સવિશેષ રૂપે આ૫ણી ગણીએ છીએ જ્યારે બાકીની વસ્તુઓને નહીં. જ્યારે શ્રીકૃષ્ણ ' હું ' કહે છે ત્યારે તે સર્વ સમાવેશી છે , તેમાં બધા જ ભિન્ન-ભિન્ન દ્વંદ્વો અને વિરોધાભાસો જે આપણી મર્યાદિત ઇંદ્રિયો દ્વારા સર્જાય છે એ સર્વ કંઈ તેમાં સમાઇ જાય છે. શ્રીકૃષ્ણ એ જ પરિપ્રેક્ષ્યમાં ગીતામાં બીજે પણ કહે છે કે , '' હું મૃત્યુ છું અને હું જ જન્મ. '' શ્રીકૃષ્ણ જો મહાસાગર છે તો આ૫ણે અહંકાર રૂપી આ૫ણા વ્યક્તિગત અસ્તિત્વ તરીકે તો આ મહાસાગર માં ટીપાં સમાન છીએ. જ્યારે એ ટીપું પોતાનું ભ્રમિત વ્યક્તિગત અસ્તિત્વ નો ત્યાગ કરી આ મહાસાગરમાં મળી જાશે ત્યારે તે પણ મહાસાગર બની જાય છે. શ્રીકૃષ્ણ એ બાબત તરફનો ઈશારો કરે છે જ્યારે તેઓ કહે છે કે , ...