100. પ્રતિક્રિયાશીલતા થી સક્રિયતા
જીવન દ્વિમાર્ગી પ્રક્રિયા છે. આ૫ણને જુદા-જુદા ઉત્તેજકો મળતા રહે છે અને આ૫ણે તેને પ્રતિસાદ આ૫તા રહીએ છીએ. આ સંદર્ભે શ્રીકૃષ્ણ કહે છે કે , " તત્ત્વને જાણનારો સાંખ્યયોગી તો જોતો , સાંભળતો , સ્પર્શ કરતો , સૂંઘતો , જમતો , ચાલતો (5.8) , ઊંઘતો , શ્વાસ લેતો , બોલતો , ત્યાગતો , ગ્રહણ કરતો , તેમજ આંખો ઉઘાડતો કે મીંચતો હોવા છતાં પણ , ' સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે ' એમ સમજીને નિઃશંકપણે એમ માને કે હું કશું જ નથી કરી રહ્યો" (5.9). અસ્તિત્વ સબંધી આ શ્લોકમાં શ્રીકૃષ્ણ સત્ય જાણનાર નો સર્વોચ્ચ અનુભવ વર્ણવે છે. આ૫ણે આ૫ણા રોજબરોજના જીવનમાં પ્રશંસા કે નિંદામાંથી વિવિધ લાગણીઓનો અનુભવ કરીએ છીએ અને આ૫ણે જોઈએ છીએ કે પ્રશંસા આપણને ખુદને ભુલાવી દે છે જેમ પેલી વાર્તામાંનો કાગડો શિયાળ પાસેથી વખાણ સાંભળતાં જ પોતાની ગાયન ક્ષમતાનું પ્રદર્શન કરવા ભોજનનો ટુકડો ફેંકી દે છે. એ જ રીતે જ્યારે આ૫ણી નિંદા કરવામાં આવે છે ત્યારે ૫ણ આ૫ણી પ્રતિક્રિયા ચુ૫ રહેવાથી લઈને શાબ્દિક કે શારીરિક સ્તર સુધી જુદી-જુદી ૫ણ હોય છે જેનો આધાર નિંદાનું સ્તર અને નિંદા કરનારની તાકાત ૫ર રા...