63. ભ્રમણા અને દંભ
જો કર્મ ના કર્તા આપણે નથી તો આ કર્તા કોણ છે ? શ્રીકૃષ્ણ જવાબ આપે છે કે , '' વ્યક્તિ ક્ષણભર માટે પણ કર્મ કર્યા વિના રહી શકતી નથી કારણ કે પ્રકૃતિ જન્ય ગુણોથી બાધિત દરેક વ્યક્તિ એ કર્મો કરવા જ પડે છે '' ( 3.5). અણુનાં ત્રણ કણો , ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનથી આ સમસ્ત ભૌતિક જગત નિર્માણ પામે છે. એ જ રીતે સત્વ , તમો અને રજો આ ત્રણ ગુણો આપણને કર્મ કરવા તરફ દોરી જવા માટે જવાબદાર છે. એ રીતે જોતાં સાચા કર્તા આ ગુણો જ છે. શ્રીકૃષ્ણ આગળ કહે છે કે , " જે મૂઢબુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપર-ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે , તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે" (3.6) . આપણા સૌનો પારિવારિક અને સામાજિક સ્તરે ઉછેર એવી રીતે થયો છે કે જેમાં સારા વર્તનને માટે પુરસ્કાર અને ખરાબ વર્તનને માટે સજા મળે છે. આને પરિણામે આપણું વ્યક્તિત્વ બે ભાગોમાં વહેંચાઈ જાય છે અને આપણા આંતરિક ‘સ્વ’ અને બહારના ‘સ્વ’ વચ્ચે કોઈ સંવાદિતા રહેતી નથી. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વ્યક્તિ આપણી લાગણી દુભાવે છે ત્યારે આપણે આપણા શબ્દો અને ...