77. અરિસાની જેમ સાક્ષી ભાવ કેળવો
શ્રીકૃષ્ણ સ્પષ્ટતા કરે છે કે , " જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે , તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે" (3.38-3.39). અગાઉ શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે ગુણો આપણને સંમોહિત કરવાની ક્ષમતા ધરાવે છે. રજોગુણમાંથી ઉત્પન્ન થતી ઇચ્છા પણ આ જ કરે છે. તેઓ આગળ વિસ્તાર પૂર્વક જણાવે છે કે , “ ઇન્દ્રિયો , મન અને બુદ્ધિ - એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે ; આ કામ આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે ” ( 3.40 ). સાક્ષીભાવ નું શ્રેષ્ઠ ઉદાહરણ એક દર્પણ છે. તેનું જ્ઞાન એટલું જ કે સામે આવેલ વ્યક્તિ કે પરિસ્થિતિ ને કોઈપણ વર્ગીકરણ કર્યા વગર પરાવર્તિત કરે. એમ કરતી વખતે નથી તેના પર કોઈ ભૂતકાળનો ભાર હોતો કે નથી હોતી ભવિષ્યની અપેક્ષાઓ અને તેથી જ તે સદાય વર્તમાનમાં જ હોય છે. તેની અસરકારકતા ત્યારે જ ઘટે છે કે જ્યારે તેના આ જ્ઞાન પર ધૂળનું આવરણ આવી જાય છે. રૂપકની દ્રષ્ટિએ જોઈએ તો આ દર્પણ એ આપણો મૂળભૂત સ્વભાવ છે અને ત...