Posts

Showing posts from September, 2025

77. અરિસાની જેમ સાક્ષી ભાવ કેળવો

Image
  શ્રીકૃષ્ણ સ્પષ્ટતા કરે છે કે , " જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે , તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે" (3.38-3.39). અગાઉ શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે ગુણો આપણને સંમોહિત કરવાની ક્ષમતા ધરાવે છે.   રજોગુણમાંથી ઉત્પન્ન થતી ઇચ્છા પણ આ જ કરે છે. તેઓ આગળ વિસ્તાર પૂર્વક જણાવે છે કે , “ ઇન્દ્રિયો , મન અને બુદ્ધિ - એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે ; આ કામ આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે ” ( 3.40 ). સાક્ષીભાવ નું શ્રેષ્ઠ ઉદાહરણ એક દર્પણ છે. તેનું જ્ઞાન એટલું જ કે સામે આવેલ વ્યક્તિ કે પરિસ્થિતિ ને કોઈપણ વર્ગીકરણ કર્યા વગર પરાવર્તિત કરે. એમ કરતી વખતે નથી તેના પર કોઈ ભૂતકાળનો ભાર હોતો કે નથી હોતી ભવિષ્યની અપેક્ષાઓ અને તેથી જ તે સદાય વર્તમાનમાં જ હોય છે. તેની અસરકારકતા ત્યારે જ ઘટે છે કે જ્યારે તેના આ જ્ઞાન પર ધૂળનું આવરણ આવી જાય છે. રૂપકની દ્રષ્ટિએ જોઈએ તો આ દર્પણ એ આપણો મૂળભૂત સ્વભાવ છે અને ત...

76. વાસનાથી સાવધ રહો

Image
  અર્જુન પૂછે છે કે , " તો પછી આ માણસ પોતે ન ઇચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે ” (3.36)? જ્યારે વ્યક્તિ માં જાગૃતિ નું પહેલું કિરણ પ્રવેશે છે ત્યારે તેને આ સર્વ સામાન્ય પ્રશ્ન થાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે , " રજોગુણમાંથી ઉદ્દભવેલો આ કામ જ ક્રોધ છે , આ ઘણું ખાનારો એટલે કે ભો ગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે , આને જ તું આ બાબતામાં વેરી જાણ" (3.37). કર્મ પ્રત્યેની આસક્તિ એ રજોગુણની નિશાની છે અને તે ઇચ્છાને કારણે જ ઉદ્દભવે છે. જે રીતે ગાડીમાં તેની ગતિ રજોગુણ ને કારણે ઉદ્ભવે છે અને એક્સિલરેટર એ તો માત્ર તેને પામવાનું સાધન છે. એ જ રીતે ધીમું પડવું તે તમસ નો સ્વભાવ છે અને તેને માટે નું સાધન બ્રેક છે. વાહન ચાલક એ સત્વગુણ નું પ્રતિનિધિત્વ કરે છે જે સરળ અને સલામત સવારી માટે એક્સિલરેટર અને બ્રેક બંનેનું સંતુલન કરે છે. સ્પીડોમિટર એ જાગૃતિ માપન નું સાધન છે. જો સંતુલન ગુમાવી દેવાય તો અકસ્માત થવો સહજ છે.   ભોગ વાસના એ પણ આપણા જીવનમાં સંતુલન નો અભાવ જ છે જેમાં આપણે માત્ર ક્ષણભંગુર સુખ મેળવવા માટે ,   કોઈ વસ્તુ કે વ્યક્તિ ને પ્રાપ્ત કરવા માટે...