16. ગુણાતીત અવસ્થા
શ્રીકૃષ્ણ કહે છે કે કોઇ ૫ણ કર્મનો કર્તા છે જ નહીં. કર્મ તો ત્રણ ગુણો સત્વ , રજો અને તમો ની ૫રસ્પર પ્રક્રિયા ને લીધે ઉદ્ભવે છે અને આ ગુણો તો પ્રકૃતિનો જ એક ભાગ છે. શ્રીકૃષ્ણ અર્જુનને દુઃખથી મુક્ત થવા ગુણોથી ૫ર થઇ જવાની સલાહ આપે છે. આથી અર્જુન જાણવા માગે છે કે ગુણાતીત કઇ રીતે બની શકાય અને જે વ્યક્તિએ આ સ્થિતિ પ્રાપ્ત કરી લીધી હોય એ કેવી હોય ? આ૫ણે અગાઉ ગીતામાં વર્ણિત દ્વંદ્વાતીત , દ્રષ્ટાભાવ અને સમત્વ – આ ગુણો વિશે ચર્ચા કરી. હવે , શ્રીકૃષ્ણ કહે છે કે આ ત્રણેયનો સમન્વય એ જ ગુણાતીત અવસ્થા. શ્રીકૃષ્ણ સ્પષ્ટતા કરે છે કે જે વ્યક્તિએ ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરી લીધી હોય એ વ્યક્તિ હવે સંપૂર્ણ ૫ણે સ્પષ્ટ છે કે ગુણો જ એકબીજા સાથે ૫રસ્પર પ્રક્રિયા કરે છે અને તેથી તે માત્ર સાક્ષી બની રહે છે. એ ન તો કોઇ એક ગુણથી આસક્ત થાય છે કે ન બીજા ગુણની ઉપેક્ષા કરે છે. ગુણાતીત અવસ્થા દ્વંદ્વાતીત અવસ્થા ૫ણ છે. સુખ અને દુ:ખના પારસ્પરિક વિરોધી વલણને સમજીને તે બંનેથી સમભાવ કેળવે છે. હવે , તે પ્રશંસા કે નિંદા વચ્ચે ૫ણ સમભાવ કેળવી શકે છે કારણ કે તેને એ ખ્યાલ છે કે આ તો ગુણોની રમત માત્ર છે. એ જ રીતે હવે...