32. મનની શાંતિ ની આધારશિલા
શ્રીકૃષ્ણ કહે છે , " કર્મયોગમાં , બુદ્ધિ નિશ્ચયાત્મક હોય છે અને જેઓ અસ્થિર હોય છે તેઓ ની બુદ્ધિ ઘણા પ્રકારની હોય છે" (2.41). શ્રીકૃષ્ણ કહે છે કે સમત્વ એ યોગ છે , જે બે ધ્રુવોનું મિલન છે જેનો આપણે જીવનમાં સામનો કરીએ છીએ , જેમ કે સુખ અને દુ:ખ ; જય અને પરાજય કે લાભ અને હાનિ. કર્મયોગ એ આ ધ્રુવોને પાર કરવાનો માર્ગ છે , જે આખરે નિશ્ચયાત્મક બુદ્ધિ માં પરિણામે છે. બીજી બાજુ , અસ્થિર બુદ્ધિ આપણને મનની શાંતિથી વંચિત કરી દે છે (2.48 અને 2.38). આપણી સામાન્ય સમજણ એવી છે કે આપણે સુખ , વિજય કે લાભ મેળવીએ તો મનની શાંતિ મળે છે ૫રંતુ , શ્રીકૃષ્ણ કહે છે કે કર્મયોગ ના માર્ગે પરસ્પર વિરોધાભાસી પરિણામોને ઓળંગી જઈને અને તેના દ્વારા આ૫ણા મન ૫ર ૫ડતી છા૫થી મુક્ત થઈને જે નિશ્ચયાત્મક બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેના થકી જ મનને શાંતિ પ્રાપ્ત થાય છે. અસ્થિર બુદ્ધિ જુદી-જુદી પરિસ્થિતિઓ , તેમાંથી પ્રાપ્ત થતા પરિણામો અને લોકોને જુદી-જુદી દ્રષ્ટિએ જુએ છે. આ૫ણાં કાર્યક્ષેત્ર ના સ્થળે આપણે આ૫ણાથી નીચેની વ્યક્તિને માટે જુદા માપદંડો અને પદમાં આપણાથી ઊંચી વ્યક્તિને માટે જુદા માપદંડો વાપરીએ છીએ. પરિવારના બાળકો પ...