68. કથની અને કરણીમાં સમાનતા
બાળકો દુનિયાને સમજવામાં , નવી વસ્તુઓ શીખવામાં , શિષ્ટચાર વર્તણૂંક જેવી અનેક બાબતોમાં પોતાના માતા-પિતાને આદર્શ માને છે અને એટલે જ એવું કહેવાય છે કે બાળઉછેરનો ઉત્તમ માર્ગ છે કે આપણે પોતાની કથની અને કરણીમાં સમાનતા સાધીને શ્રેષ્ઠ દૃષ્ટાંત પૂરું પાડીએ. આ જ નિર્ભરતા જીવનના પાછળના તબક્કામાં પણ ચાલુ રહે છે. એ નિર્ભરતા મિત્રો , શિક્ષકો કે માર્ગદર્શકો પરની હોઈ શકે. તેનો અર્થ એ થયો કે આપણી આસપાસ એવા લોકો હોય છે કે જેઓ આપણા પર આધારિત હોય અને આપણું માર્ગદર્શન ઈચ્છતા હોય. આપણે જે કંઈ પણ કરીએ તેની અસર તેઓ પર પડતી હોય છે. આ સંદર્ભે જ શ્રીકૃષ્ણ કહે છે જે "શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે , અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે ; તે જે કંઈ પ્રમાણ કરી આપે છે , સકળ માનવ-સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે" (3.21). શ્રીકૃષ્ણ આગળ કહે છે કે , " મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીયે પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે , છતાંય હું કર્મમાં જ વર્તું છું (3.22). જો કદાય હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય , કારણકે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે (3.23). આથી જ...