Posts

Showing posts from June, 2025

68. કથની અને કરણીમાં સમાનતા

Image
  બાળકો દુનિયાને સમજવામાં , નવી વસ્તુઓ શીખવામાં , શિષ્ટચાર વર્તણૂંક જેવી અનેક બાબતોમાં પોતાના માતા-પિતાને આદર્શ માને છે અને એટલે જ એવું કહેવાય છે કે બાળઉછેરનો ઉત્તમ માર્ગ છે કે આપણે પોતાની કથની અને કરણીમાં સમાનતા સાધીને શ્રેષ્ઠ દૃષ્ટાંત પૂરું પાડીએ. આ જ નિર્ભરતા જીવનના પાછળના તબક્કામાં પણ ચાલુ રહે છે. એ નિર્ભરતા મિત્રો , શિક્ષકો કે માર્ગદર્શકો પરની હોઈ શકે. તેનો અર્થ એ થયો કે આપણી આસપાસ એવા લોકો હોય છે કે જેઓ આપણા પર આધારિત હોય અને આપણું માર્ગદર્શન ઈચ્છતા હોય. આપણે જે કંઈ પણ કરીએ તેની અસર તેઓ પર પડતી હોય છે. આ સંદર્ભે જ શ્રીકૃષ્ણ કહે છે જે "શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે , અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે ; તે જે કંઈ પ્રમાણ કરી આપે છે , સકળ માનવ-સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે" (3.21). શ્રીકૃષ્ણ આગળ કહે છે કે , " મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીયે પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે , છતાંય હું કર્મમાં જ વર્તું છું (3.22). જો કદાય હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય , કારણકે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે (3.23). આથી જ...

67. ચિંતિત અને નિશ્ચિંત

Image
  શ્રીકૃષ્ણ આ૫ણને એ વાતની ખાતરી આપે છે કે આસક્તિ રહિત થઇ કર્મ કરવાથી આ૫ણે ૫રમ તત્ત્વને પ્રાપ્ત કરીશું (3.19) અને તેઓ રાજા જનકનું ઉદાહરણ આપે છે કે જેમણે માત્ર કર્મને માર્ગે ચાલીને પૂર્ણતા પ્રાપ્ત કરી (3.20). શ્રીકૃષ્ણ એ વાત પર વિશેષ ભાર મૂકે છે કે એક રાજા કે જે સતત આનંદ પ્રમોદના સાધનો વચ્ચે જીવતો હોય અને તેને અનેક ગણી જવાબદારી ઓ પણ હોય તે પણ જો આસક્તિથી રહિત થઇ કર્મ કરે તો તે પરમ તત્ત્વને પામી શકે છે એ જ રીતે આપણે પણ આપણા સંજોગો ગમે તેવા હોય તો પણ પરમ તત્ત્વને પામી શકીએ. ઇતિહાસમાં એવા ખૂબ જૂજ દાખલાઓ છે કે જેમાં બે બુદ્ધત્વ પ્રાપ્ત વ્યક્તિઓએ પરસ્પર વાર્તાલાપ કર્યો હોય. એવા વાર્તાલાપો માં નું એક એટલે રાજા જનક અને ઋષિ અષ્ટાવક્ર વચ્ચેનો વાર્તાલાપ જે અષ્ટાવક્ર ગીતા તરીકે ઓળખાય છે અને તે સાધ કો માટે સર્વશ્રેષ્ઠમાંનું એક ગણાય છે. એક દંત કથા અનુસાર એક વખત એક ગુરુ પોતાના શિષ્યોમાંના એકને કે જેની પાસે લંગોટ અને એક ભિક્ષાપાત્ર સિવાય કશું જ ન હતું અને જે પૂર્ણ સાદગી પૂર્વક રહેતો હતો તેને અંતિમ શિક્ષા માટે રાજા જનક પાસે મોકલે છે. તે રાજા જનક પાસે આવે છે અને નવાઈ પામે છે કે ગુરુએ તે...

66. સમર્પણ અથવા સંઘર્ષ

Image
  જીવન જીવવાના બે માર્ગો છે. એક છે સંઘર્ષ અને બીજો છે સમર્પણ. સમર્પણ નો માર્ગ એ કંઇ યુદ્ધમાં હારેલા નિઃસહાય વ્યક્તિના સમર્પણ જેવો નથી આ સમર્પણ તો જાગૃતિ પૂર્વકનું અને સક્રિય સ્વીકાર સાથેનું સમર્પણ છે. સંઘર્ષ એ હંમેશા બીજા કરતાં આગળ નિકળવામાં ; આપણને જે સહજ આપવામાં આવ્યું છે એના કરતાં વધુ મેળવવામાં કે પછી આપણી પાસે જે છે તેનાથી કશુંક જુદું પ્રાપ્ત કરવા માટે કરવો પડે છે. જ્યારે બીજી બાજુ સમર્પણમાં તો પ્રત્યેક જીવંત ક્ષણને માટે ધન્યતાનો ભાવ રહેલો છે. શ્રીકૃષ્ણ કહે છે કે , '' જો કોઈ વ્યક્તિ સૃષ્ટિ ચક્રનું અનુસરણ નથી કરતી અને ઇંદ્રિયમાં જ રચી૫ચી રહે છે તો તેનું જીવન વ્યર્થ છે '' ( 3.16). જે વ્યક્તિ ઇન્દ્રિયોને સંતોષવાના માર્ગે છે , તેને માટે જીવન સંઘર્ષ જ રહેશે કેમકે તે ક્યારેય સંતોષાવાની નથી . આ પ્રકારનો સંઘર્ષ જીવનમાં તણાવ, ચિંતા અને દુઃખ નીપજાવે છે અને પરિણામે જીવન વ્યર્થ થઈ જાય છે. શ્રીકૃષ્ણ અસ્તિત્વના ચક્રને સમજાવવા માટે વરસાદનું ઉદાહરણ આપે છે (3.14). વરસાદ એ બાષ્પીભવન પામીને વરસાદ રૂપે વરસતા જળની નિસ્વાર્થ ક્રિયા સૂચવે છે. આવી નિસ્વાર્થ ક્રિયાઓ સર્વોચ્ચ શક્તિ...