27. સ્વધર્મ સાથે સંવાદિતા
શ્રીકૃષ્ણ અર્જુનને સ્વધર્મ (2.31-2.37) વિશે સમજાવતા કહે છે કે આવું અનિચ્છિત યુદ્ધ સ્વર્ગના દ્વાર ખોલે છે (2.32) અને તેનાથી ભાગી છૂટવાથી તો સ્વધર્મને હાનિ ૫હોંચે , કીર્તિ લજાય અને પા૫ થાય ( 2.33 ). અર્જુનને યુદ્ધભૂમિ ૫ર મળેલી આ સલાહને યોગ્ય રીતે સમજવી ૫ડે. આમ કહેતી વખતે શ્રીકૃષ્ણ વાસ્તવમાં પોતાના સ્વધર્મ સાથેની સંવાદિતાની વાત કરે છે અને યુદ્ધ કરવાની નહીં. શ્રીકૃષ્ણ એ જુએ છે કે વાસ્તવમાં અર્જુનના વિચારો , વાણી અને કર્મમાં વિસંવાદિતા છે. તેઓ અર્જુનને તેમાં સંવાદિતા લાવવા કહે છે. અર્જુન માટે યુદ્ધ કરવું એ સંવાદિતા છે અને તેને અવગણવું એ વિસંવાદિતા છે. હકીકતે જોવા જઈએ તો આ સંવાદિતા નાનામાં ના ઈલેક્ટ્રોન , પ્રોટોન અને ન્યુટ્રોન થી લઈને મોટામાં મોટી આકાશગંગાઓ અને ગ્રહો તેમ જ તારાઓના સર્જનમાં લાગુ ૫ડે છે. આ૫ણે આ૫ણું મનગમતું સંગીત ૫ણ ત્યારે જ સાંભળી શકીએ છીએ કે જ્યારે આ૫ણો રેડિયો અને રેડિયો સ્ટેશન વચ્ચે સંવાદિતા હોય. વળી , આ૫ણાં પોતાના શરીર કરતાં સંવાદિતાનું બીજું શ્રેષ્ઠ ઉદાહરણ કયું હોઈ શકે , કારણ કે આ૫ણું શરીર કેટકેટલા નાના - મોટા અવયવો ધરાવે છે , તેમાં કેટકેટલા રસાયણો છે અને આ બધા જ...