Posts

Showing posts from October, 2024

38. ક્રિયા-પ્રતિક્રિયા

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ કરવા પર આપણો અધિકાર છે પરંતુ કર્મફળ પર આપણો અધિકાર નથી.   આ નો અર્થ એવો જરા પણ નથી થતો કે આપણે અકર્મમાં ગ્રસિત થઈ જઈએ એટલે કે યા તો આપણે કોઈ ક્રિયા જ ન કરીએ અથવા તો સંયોગ વશ થઈને માત્ર પ્રતિક્રિયા જ આપ્યા કરીએ. શ્રીકૃષ્ણ જે શબ્દ પ્રયોજે છે એ છે ' અકર્મ ' જેનો શાબ્દિક અર્થ તો ' ક્રિયા ન કરવી ' એવો જ થાય છે , પરંતુ જે અર્થમાં એ પ્રયોજાયો છે તેમાં પ્રતિક્રિયાનો પણ સમાવેશ થઈ જાય છે. શ્લોક 2.47 માં જાગૃતિ અને કરુણાની વાત આવે છે , જેમાં જાગૃતિ એ છે કે કર્મ અને કર્મફળ એ બંને જુદી-જુદી બાબતો છે અને અન્ય તથા પોતા માટે કરુણા નો ભાવ હોય . શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ કર્યા વગર તો આપણું અસ્તિત્વ જ સંભવ નથી , કારણ કે આ ભૌતિક શરીરને ટકાવી રાખવા માટે પણ ભોજન વગેરે કર્મો કરવા જ પડે છે ( 3.8 ). વળી ત્રણે ગુણો , સત્વ, તમો અને રજો સતત આપણને કર્મમય રાખે છે ( 3.5 ) તેથી અકર્મ માટે તો ભાગ્યે જ કોઈ સ્થાન બચેલું હોય છે. સમાચાર જોતી વખતે જો આપણે આપણી મનોવૃત્તિઓનું અવલોકન કરશું , તો આપણને ખ્યાલ આવશે કે તેમાં દર્શાવાતી પ્રવૃત્તિઓ (કર્મો) આપણામાં કેટકેટલી પ્રતિક્રિય...

37. એ જ અર્જુન એ જ બાણ

Image
  જ્યારે કોઈ સફળ કે સક્ષમ વ્યક્તિ નિષ્ફળ જાય છે ત્યારે એ સ્થિતિ વિશે એવું અવારનવાર કહેવાય છે કે વહી અર્જુન વહી બાણ. એક યોદ્ધા તરીકે અર્જુન કદી કોઇ યુદ્ધ હાર્યો ન હતો. પરંતુ તેના જીવનના પૂર્વાર્ધમાં તે એક નાનું એવું યુદ્ધ હારી ગયો હતો કે જેમાં તેણે પરિવારના અમુક સભ્યોને લૂંટારાઓ થી બચાવવાના હતા. આ બાબત વિશે તે પોતાના ભાઈઓને કહે છે કે , '' મને ખબર ન પડી કે શું થયું. હું એ જ અર્જુન છું અને આ મારા બાણ પણ એ જ બાણ છે કે જેનાથી કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યા હતા ૫રંતુ આ વખતે મારા બાણમાં ન તો એ શક્તિ હતી કે ન તો એ નિશાન પર લાગતા હતા ” . તે જણાવે છે કે તેણે ત્યાંથી ભાગી જવું પડ્યું અને તે પેલા પરિવારનું રક્ષણ ન કરી શક્યો. જીવનના અનુભવો આપણને જણાવે છે કે આવી ઘટના દરેકના જીવનમાં ઘટી શકે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે એક ખૂબ જ કુશળ રમતવીર કોઈક સમયે પોતાની શ્રેષ્ઠ રમત દાખવી શકતો નથી અને હારી જાય છે. એ જ રીતે કોઈ અભિનેતા કે ગાયક પણ અચાનક જ નિષ્ફળતા પામે છે. ત્યારે વ્યક્તિનું ભાગ્ય કે તેનો સમય ખરાબ છે એવું કહેવાય છે પરંતુ તેમ છતાં એવું નિશ્ચિત પણે કોઈ નથી કહી શકતું કે આવું શા માટે થાય છે. અમુક અન...

36. કર્મફળ એ નથી જે દેખાય છે

Image
 સામાન્ય રીતે આપણે એ સમજવા બાબતે પૂરતી કાળજી લેતા નથી હોતા કે જે કર્મફળની અત્યારે આપણે ઇચ્છા સેવીએ છીએ એ આપણે માટે ભવિષ્યમાં પણ યોગ્ય જ હશે કે કેમ. જે રીતે તૂટેલા સંબંધો માં એક સમયે એ જ દંપતી એવું કર્મફળ ઇચ્છતું હોય છે કે તેઓ સદા સાથે જ રહે અને અમુક સમય પછી તેઓને જ એકબીજાથી છુટા થવાનું યોગ્ય લાગે છે. વાસ્તવમાં વર્તમાનમાં લોકોને એવા કર્મફળ બાબતે જ પસ્તાવો થતો હોય છે કે જે કર્મફળ તેઓએ ભૂતકાળમાં ખૂબ જ તીવ્રતાથી ઇચ્છ્યું હતું અને સમય જતાં એ જ તેમના જીવનને માટે વિનાશકારી બની ગયું હોય. તેનાથી ઊલટું સર્વ સામાન્ય રીતે લોકોના અનુભવો જોતાં તેમાંના ઘણા ખરા લોકો તેવું જ અનુભવતા હોય છે કે એ સારું જ થયું કે એક સમયે તેઓ જે કર્મફળ ઇચ્છતા હતા એ તેમને ન મળ્યું. જીવનના આવા બધા જ અનુભવોને એક સમયે એક સાથે જોતાં આપણને ગીતાનો 2.47 મો શ્લોક યથાર્થ સમજાશે કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ આપણને કહે છે કે આપણો અધિકાર કર્મમાં છે; કર્મફળ પર નથી. આ અનુભવોને આધારે આપણે આ શ્લોકને દ્વંદ્વના દ્રષ્ટિકોણથી પણ જોવો જોઈએ. આ સમસ્ત વિશ્વ બે પરસ્પર વિરોધાભાસોના અસ્તિત્વથી બનેલું છે. આ બાબત કર્મફળને પણ એટલી જ લાગુ પડે છે. ...

35. કર્મયોગ – જીવનનો એક માર્ગ

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે આપણો અધિકાર કર્મ કરવામાં છે પરંતુ કર્મફળ પર આપણો કોઈ જ અધિકાર નથી ( 2.47 ). જો આપણા કોઈ સ્વજનને ઓપરેશન કરાવવાનું હોય તો આપણે ચોક્કસપણે ઉત્તમ અને પ્રામાણિક સર્જનની પસંદ ગી કરીશું. એ સર્જનની કુશળતા સારી હોવાથી તેનું ઓપરેશન સફળ થશે અને તે પ્રામાણિક હોવાથી તે કોઈ બિનજરૂરી સર્જરી પણ કરશે નહીં. ટૂંકમાં કહીએ તો આપણે એક એવા સર્જનની શોધ કરીએ છીએ કે જે કર્મયોગી હોય. તો આ સ્થિતિમાં એવી બે બાબતો આપણે જોઈ કે જે આપણને આ શ્લોક સમજવામાં મદદરૂ૫ થઈ શકે. આપણે દરેક સેવા આપતા લોકો પાસે કર્મયોગી હોવાની અપેક્ષા રાખીએ છીએ કે જેથી તેઓ આપણને એવું શ્રેષ્ઠ પરિણામ આપે કે જેની આપણે આશા રાખી હોય. જો આ જ પ્રકારે સમત્વનો સિદ્ધાંત આપણે પોતા પર પણ લાગુ પાડીએ તો આપણે પણ કોઈનું કોઈ કામ કરતી વખતે આપણા રોજિંદા જીવનમાં કર્મયોગી બનવું પડે. આ શ્લોકમાં એમ જ કહેવાયું છે કે આપણે આપણા દરેક કામ અને પારિવારિક બાબતો માં આપણું શ્રેષ્ઠ પ્રદાન કરવું જોઈએ. અન્ય જગ્યાએ ગીતામાં શ્રીકૃષ્ણ એમ પણ ખાતરી આપે છે કે કર્મયોગના અભ્યાસમાં કરેલ નાનામાં નાના પ્રયત્નો પણ આપણને સમત્વ ની નજીક લઈ જાય છે અને એ પોતાના માં જ આપ...

34. કર્મ ૫ર ધ્યાન આપો, કર્મફળ ૫ર નહીં

Image
  ભગવદ્ ગીતાના 2.47 માં શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે આપણો અધિકાર કર્મ કરવામાં છે પરંતુ કર્મફળ પર આપણો કોઈ જ અધિકાર નથી. આજ શ્લોકમાં તેઓ આગળ કહે છે કે કર્મફળ એ આપણા કોઈપણ કર્મનો હેતુ ન હોવો જોઈએ અને તેમ છતાં પણ આપણે કર્મને આધીન પણ ન થવું જોઈએ.   ગીતાનો આ શ્લોક અનેક જગ્યાએ જોવા મળે છે એનું કારણ કદાચ એ છે કે આ શ્લોકમાં જીવનને ઘણા બધા પાસાઓથી જોવાયું છે. આ શ્લોક તરફનો સૌથી સરળ અભિગમ એ છે કે શ્રીકૃષ્ણ પર શ્રદ્ધા રાખીને કોઈ પણ તર્ક વિતર્ક કર્યા વગર કે તેના ઊંડાણમાં ઉતર્યા વગર કે તેના વિવિધ ૫રિપ્રેક્ષ્ય સમજવાનો પ્રયત્ન કર્યા વગર જીવનમાં લાગુ કરવો જોઈએ. શ્રીકૃષ્ણ આગળ એમ પણ કહે છે કે શ્રદ્ધા ચમત્કારિક ફળ આપી શકે એમ છે અને આ શ્લોકનો તો માત્ર શાબ્દિક અર્થ પણ જો અપનાવી લેવામાં આવે તો તે પણ આપણને કર્મયોગ ના શિખર સુધી લઈ જઈ શકે તેમ છે ( 7.21 - 7.22 ). બીજી બાબત એ કે આપણે જ્યારે કર્મફળ પર કેન્દ્રિત થઇએ છીએ ત્યારે આપણે કર્મ પરથી ધ્યાન ગુમાવી બેસીએ છીએ અને પરિણામે આપણને કર્મફળ પણ પ્રાપ્ત થતું નથી. જો કોઈ વિદ્યાર્થી અભ્યાસ નબળો (કર્મ) કરે તો તે તેને કદી પણ ઉત્તમ પરિણામ (કર્મફળ) ન આપી શકે....

33. વેદોની પેલે પાર

Image
  એક વખત કેટલાક મિત્રો સાથે મળીને યાત્રા કરતા હતા ત્યારે રસ્તામાં તેમને એક મોટી નદી પાર કરવાની આવી તેઓએ એક હોડી બનાવવી અને નદી પાર કરી. પછી તેઓએ એ ભારે ભરખમ હોડીને પોતાની સાથે જ રાખવા નિર્ણય કર્યો કે જેથી તેઓ પોતાની આગળની યાત્રામાં પણ તેનો ઉપયોગ કરી શકે. પરિણામ એ આવ્યું કે તેઓની યાત્રામાં વિલંબ થયો કારણ કે તેમની હવે પછીની યાત્રામાં માર્ગ પર કોઈ નદી હતી જ નહીં. અહીં નદી પીડા ની સૂચક છે અને હોડી એ આ પીડા ને પાર કરવાનું એક સાધન છે. આપણા રોજિંદા જીવનમાં આપણે ભોગવવી પડતી મુશ્કેલીઓ કે અમુક વિરોધાભાસ માંથી રાહત મેળવવા માટે ઘણા બધા સાધનો અને ક્રિયા વિધિઓ છે. આપણા વેદોમાં એવી ઘણી ક્રિયા વિધિઓનું વર્ણન જોવા મળે છે કે જે આપણા આ રોજિંદા જીવનમાં આવતા ક્ષણિક દુઃખો કે વિરોધાભાસોમાં આપણને શાંતિ આપી શકે. હવે જ્યારે આપણને સ્વાસ્થ્ય , વેપાર-ધંધા , કોઈ કામ કે પરિવારની બાબતે આવતી મુશ્કેલીઓ વખતે આ ક્રિયા વિધિઓનો ઉપયોગ કરીએ તો એ તર્કસંગત જણાય છે.  શ્રીકૃષ્ણ અર્જુનને ચેતવે છે કે વેદોના માત્ર બાહ્ય અર્થઘટનને આધારે આપણા આ જીવનમાં અને જીવન પછી પણ સ્વર્ગની ખાતરી આપતા અજ્ઞાનીઓની જાળમાં ફસાવા જેવું નથી ( 2...