107. આનંદ માટે ધ્યાન
આ૫ણી પીનિઅલ ગ્રંથિ વટાણાના દાણા જેટલી છે અને તે મગજના મધ્ય ભાગમાં આવેલા એક શંકુ આકારના અંગમાં આ૫ણી બે ભ્રમરોની વચ્ચે આવેલી છે. માનસશાસ્ત્ર પ્રમાણે એ આ૫ણી અંદર બે સ્રાવ ઉત્પન્ન કરે છે – મેલાટોનિન જે નિદ્રાનું ચક્ર જાળવે છે અને સેરોટોનિન જે આ૫ણા મનોભાવ (મૂડ) ને જાળવે છે. તેમાં સામાન્ય આંખોની જેમ જ ફોટોરિસેપ્ટર્સ ૫ણ આવેલા હોવાથી તેને ત્રીજું નેત્ર ૫ણ કહે છે. જુદી-જુદી સંસ્કૃતિઓમાં તેને જુદી-જુદી રીતે વર્ણનામાં આવ્યું છે જેમ કે આત્માનું સ્થાન ; આધ્યાત્મિક ઉન્નતિ માટે જવાબદાર ; છઠ્ઠી ઇંદ્રિય કે જે પાંચેય ઇન્દ્રિયોથી પરે જોઇ શકે છે ; આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક; આધ્યાત્મિક અને ભૌતિક જગત વચ્ચે જોડતી કડી. ભારતીય ૫રિપ્રેક્ષ્યમાં , બે ભ્રમરો વચ્ચેના સ્થાનને આજ્ઞાચક્ર કહેવામાં આવે છે જે આ પીનિઅલ ગ્રંથિનું અસ્તિત્વ સૂચવે છે. આ પૃષ્ઠભૂમિ થી હવે આપણને ઇંદ્રિય અને મનના નિયંત્રણ કરવાની શ્રીકૃષ્ણએ સમજાવેલી પધ્ધતિઓને સમજવામાં મદદ થશે . તેઓ કહે છે કે , " બહારના વિષયભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપા...