65. નિઃસ્વાર્થ કર્મો સર્વોચ્ચ શક્તિ ધરાવે છે
જળ એ પૃથ્વી પરના જીવનને માટે અનિવાર્ય છે અને શ્રીકૃષ્ણ નિસ્વાર્થ કર્મોને સમજાવવા માટે વરસાદનું ઉદાહરણ આપે છે (3.14). મૂળભૂત રીતે , વરસાદ એ જળચક્રનો એવો ભાગ છે કે જેમાં ગરમીને લીધે પાણી બાષ્પીભવન પામે છે અને તેનાથી વાદળાં બંધાય છે. અને જ્યારે યોગ્ય પરિસ્થિતિ નિર્માણ પામે છે ત્યારે તે વરસાદ રૂપે ફરી પૃથ્વી પર આવે છે. આ પ્રક્રિયામાં બધી જ ક્રિયાઓ નિસ્વાર્થ થાય છે અને શ્રીકૃષ્ણ તેમને ' યજ્ઞકાર્ય ' કહે છે. સમુદ્ર પોતાના પાણીનું બાષ્પીભવન થવા દે છે કે જેથી વાદળાં બંધાય અને વાદળાં પોતાના અસ્તિત્વનું બલિદાન આપીને વરસાદમાં પરિણમે છે. આ બંને ક્રિયાઓ યજ્ઞરૂપી નિસ્વાર્થ ક્રિયાઓ છે. શ્રીકૃષ્ણ એ બાબત સમજાવે છે કે યજ્ઞરૂપી આ નિસ્વાર્થ ક્રિયા સર્વોચ્ચ વાસ્તવિકતા કે સર્વોચ્ચ શક્તિ ધરાવે છે (3.15). શરૂઆતમાં આ જ શક્તિનો ઉપયોગ કરીને રચનાકા રે આ રચના કરી (3.10) અને દરેકને એમ સૂચવ્યું કે આનો જ ઉપયોગ દરેક આગળ વધવા માટે કરે (3.11). આમ આ જ બાબતને આપણે અનુસરીએ તો આપણે પરમ વાસ્તવિકતા સાથે આપણી જાતને જોડીએ છીએ અને યજ્ઞરૂપી નિસ્વાર્થ કાર્યથી તેની જ શક્તિનો ઉપયોગ કરીએ છીએ. વરસાદની એકબીજા સાથે ...