Posts

Showing posts from May, 2025

65. નિઃસ્વાર્થ કર્મો સર્વોચ્ચ શક્તિ ધરાવે છે

Image
  જળ એ પૃથ્વી પરના જીવનને માટે અનિવાર્ય છે અને શ્રીકૃષ્ણ નિસ્વાર્થ કર્મોને સમજાવવા માટે વરસાદનું ઉદાહરણ આપે છે (3.14). મૂળભૂત રીતે , વરસાદ એ જળચક્રનો એવો ભાગ છે કે જેમાં ગરમીને લીધે પાણી બાષ્પીભવન પામે છે અને તેનાથી વાદળાં બંધાય છે. અને જ્યારે યોગ્ય પરિસ્થિતિ નિર્માણ પામે છે ત્યારે તે વરસાદ રૂપે ફરી પૃથ્વી પર આવે છે. આ પ્રક્રિયામાં બધી જ ક્રિયાઓ નિસ્વાર્થ થાય છે અને શ્રીકૃષ્ણ તેમને ' યજ્ઞકાર્ય ' કહે છે. સમુદ્ર પોતાના પાણીનું બાષ્પીભવન થવા દે છે કે જેથી વાદળાં બંધાય અને વાદળાં પોતાના અસ્તિત્વનું બલિદાન આપીને વરસાદમાં પરિણમે છે. આ બંને ક્રિયાઓ યજ્ઞરૂપી નિસ્વાર્થ ક્રિયાઓ છે. શ્રીકૃષ્ણ એ બાબત સમજાવે છે કે યજ્ઞરૂપી આ નિસ્વાર્થ ક્રિયા સર્વોચ્ચ વાસ્તવિકતા કે સર્વોચ્ચ શક્તિ ધરાવે છે (3.15). શરૂઆતમાં આ જ શક્તિનો ઉપયોગ કરીને રચનાકા રે આ રચના કરી (3.10)   અને દરેકને એમ સૂચવ્યું કે આનો જ ઉપયોગ દરેક આગળ વધવા માટે કરે (3.11). આમ આ જ બાબતને આપણે અનુસરીએ તો આપણે પરમ વાસ્તવિકતા સાથે આપણી જાતને જોડીએ છીએ અને યજ્ઞરૂપી નિસ્વાર્થ કાર્યથી તેની જ શક્તિનો ઉપયોગ કરીએ છીએ. વરસાદની એકબીજા સાથે ...

64. હંમેશા પોતાનું શ્રેષ્ઠ આપો

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " તું નિયત કર્તવ્ય કર્મ કર ; કેમકે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે , તેમજ કર્મ ન કરવાથી તારો શરીર-નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય" (3.8). ભોજન એકત્રિત કરવું અને તેને આરોગવું એ માનવ શરીરના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અનિવાર્ય કર્મો છે. વળી માનવ શરીરમાં અનેક અંગો , તંત્રો અને રસાયણો આવેલા છે તેઓ પણ નિયમિત પણે આંતરિક ક્રિયાઓ કરતા જ રહે છે. જો તેમાંથી એક બે પણ યોગ્ય રીતે ન થાય તો આપણા શરીરની સંવાદિતા ભંગ થાય છે અને તેને લીધે શરીરને નુકસાન પહોંચે છે અથવા તો શરીર નાશ પામે છે. તે રીતે જોવા જતાં નિષ્ક્રિયતા થી શરીરનો રખરખાવ સંભવ જ નથી . શ્રીકૃષ્ણ અહીં ફરજના ભાગ રૂપે આવતા કર્મો કરવાની વાત કરે છે એ ખૂબજ સૂક્ષ્મ વિચાર છે.   પવિત્ર ગ્રંથોમાં વર્ણિત રીતિરિવાજો અથવા તો સમાજ તરફથી આપણને મળેલ ફરજોને સામાન્ય રીતે આપણે આ૫ણી ફરજો કહી શકીએ. પરંતુ શ્રીકૃષ્ણ આપણને જે કહેવા માગે છે એ રીતે જોતા આ બંને વ્યાખ્યાઓનો વ્યાપ ટૂંકો પડે છે. આપણી ફરજ આ ભૌતિક જગતમાં ઉચ્ચતમ ક્ષમતા પ્રાપ્ત કરવાની છે. ઉદાહરણ તરીકે જેમ એક બીજ વિશાળ વૃક્ષ બને છે કે જે રીતે એક કોષ વિકાસ પામતાં-પામત...