60. વિષાદથી બુદ્ધત્વ સુધી
શ્રીકૃષ્ણ કહે છે કે , " જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર , અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓનાં પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે , તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે , તે જ પુરુષ પરમ શાંતિ પામે છે , ભોગોને ઇચ્છનારો નહીં (2.70). તેઓ આગળ કહે છે "જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો , અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત તે શાંતિને પામેલો છે (2.71). આ બ્રહ્મનેપામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે ; આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે" (2.72). આ શાશ્વત સ્થિતિ (મોક્ષ-૫રમમુક્તિ , આનંદ અને કરૂણા) માટે શ્રીકૃષ્ણ સમુદ્ર નુ ઉદાહરણ આપે છે, જેમાં સમુદ્રમાં પાણી લાવતી નદીઓ એ આપણા ઇંદ્રિયો દ્વારા સતત અનુભવાતી ઉત્તેજનાઓ છે. જે વ્યક્તિએ આ શાશ્વત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે તે તૃષ્ણાઓ કે ઇચ્છાઓ જાગતી હોવા છતાં પણ એક સમુદ્રની જેમ સ્થિર અને અવિચલિત રહે છે. બીજી વાત એ કે જ્યારે નદીઓ સમુદ્રમાં મળે છે ત્યારે તે પો...