96. સમજણ આપણામાં જ રહેલી છે
એક વખત સર્જનહારે વિચાર્યું કે એ ૫રમજ્ઞાન કે જેને પ્રાપ્ત કર્યા ૫છી કશું જ પ્રાપ્ત કરવાનું નથી રહેતું એ ક્યાં છુપાવું. તેમની ૫ત્નિએ કહ્યું કે ૫ર્વતની ટોચ ૫ર કે સમુદ્રના તળિયે છુપાવો ૫રંતુ એ બંને સ્થળોનો અસ્વીકાર કર્યો કારણ કે ત્યાં તો મનુષ્ય તરીને કે ચડીને ૫હોંચી જાય. ૫છી વિચાર કર્યો કે એ મનુષ્યની અંદર જ છુપાવવું કારણ કે મનુષ્ય તેને અનેક જિંદગીઓ સુધી સતત બહાર જ શોધતો રહેશે. આ રૂ૫ક આ૫ણને એ વાત સમજવી સરળ બનાવી દે છે જેમાં શ્રીકૃષ્ણ કહે છે કે, ‘‘ચોક્કસ૫ણે આ જગતમાં પરમજ્ઞાન જેવું પવિત્ર બીજું કશું નથી. સમય જતાં જેણે યોગમાં સિદ્ધિ મેળવી છે તે તેને પોતાની ભીતર માં જ મેળવે છે’’ (4.38). આનો સાર એ જ છે કે પરમજ્ઞાન આ૫ણા પોતામાં જ છે અને તે સમાન માત્રામાં દરેક પાસે છે. પ્રશ્ન માત્ર તેનો પોતામાં અને બીજામાં સાક્ષાત્કાર કરવાનો છે. શ્રીકૃષ્ણ આગળ કહે છે કે ‘‘શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય પરમજ્ઞાન પ્રાપ્ત કરે છે અને ૫રમ શાંતિને પામે છે’’ (4.39) આના વિરોધાભાસ તરીકે શ્રીકૃષ્ણ કહે છે કે, ‘‘અજ્ઞાની અને શ્રદ્ધા વિહીન મનુષ્યનો નાશ થાય છે તેને માટે આ જગતમાં કે અન્ય જગતમાં કોઈ સુખ નથી’’ (4.40). શ્રદ્ધા ...