Posts

Showing posts from November, 2024

42. અહંકારથી બચો

Image
  શ્રીકૃષ્ણ જુએ છે કે અર્જુન અહં-કર્તા એટલે કે અહંકારની ભાવનાથી ગ્રસિત થઈ ગયો છે અને એ જ તેના વિષાદનું મુખ્ય કારણ છે. અહંકારથી મુક્ત થવા અને આત્મા સુધી પહોંચવા અર્જુનને નિશ્ચયાત્મક બુદ્ધિ નો ઉ૫યોગ કરવાનું કહે છે ( 2.41 ). અભિમાન એ અહંકારનો એક નાનકડો ભાગ છે. જયારે કોઈ માણસ સફળતા, જીત કે લાભ ના દ્વંદ્વોથી પસાર થાય છે ત્યારે તેને ઘમંડ કહે છે અને જ્યારે તે નિષ્ફળતા પરાજય કે હાનિ ના દ્વંદ્વોથી પસાર થાય છે ત્યારે તેને ઊંડી હતાશા , દુઃખ અને ક્રોધ કહે છે. એ ઈર્ષ્યા છે જ્યારે બીજા લોકો સુખનો અનુભવ કરે છે અને એ સહાનુભૂતિ છે જ્યારે બીજા લોકો દુઃખનો અનુભવ કરે છે. એ ત્યારે પણ હાજર છે કે જ્યારે આપણે ભૌતિક પદાર્થોનો સંગ્રહ કરી રહ્યા હોઇએ અને ત્યારે પણ હોય છે જ્યારે આપણે તેનો ત્યાગ કરી રહ્યા હોઇ એ. એ જ સંસાર અને સંન્યાસ બંને તરફ આપણને લઈ જાય છે. એ જ વિનાશ નું પણ કારણ છે અને સર્જનનું ૫ણ. તે જ્ઞાનમાં પણ છે અને અજ્ઞાન માં પણ. પ્રશંસામાં અહંકાર વૃદ્ધિ પામે છે અને નિંદામાં તેને ઠેસ ૫હોંચે છે. આ બન્ને અવસ્થાઓ ને કારણે આપણે છેતરપિંડી નો ભોગ બનીએ છીએ. ટૂંકમાં કહીએ તો , એક યા બીજી રીતે અહંકાર આપણી...

41. અંતર્યાત્રાને માટે સુસંગત બુદ્ધિ

Image
  યોગ એટલે આપણા બહારના ‘ સ્વ’ નું આપણા અંતરાત્મા સાથે જોડાવું. એ કર્મયોગ , ભક્તિયોગ ,   સાંખ્યયોગ અને બુદ્ધિયોગ એવા અનેક માર્ગોથી મેળવી શકાય છે . કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વભાવ ને અનુરૂપ માર્ગે આ યોગ સાધી શકે છે . શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે , “ આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે , માટે તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત બુદ્ધિયોગનો જ આશરો લે ; કેમકે ફળનો હેતુ બનનારા અર્થાત ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે" (2.49). અગાઉ , શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે "કર્મયોગમાં , બુદ્ધિ નિશ્ચયાત્મિક છે અને જેઓ અસ્થિર છે તેમની બુદ્ધિ બહુશાખા એટલે કે ઘણા પ્રકારની હોય છે" (2.41). એકવાર જ્યારે બુદ્ધિ જેમ કોઇ બૃહદ દર્શક કાચ પ્રકાશનાં કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરે છે તેમ નિશ્ચયાત્મક બની જાય છે ત્યારે તે અંતર્યાત્રા પ્રકારની કોઈક બૌદ્ધિક યાત્રા કરવા માટે સક્ષમ બને છે. કોઇપણ યાત્રા , એ અંતરાત્મા તરફની હોય કે અન્ય કોઈ , તેમાં દિશા અને ગતિ નું હોવું અનિવાર્ય છે.   અહીં શ્રીકૃષ્ણ નો બુદ્ધિયોગ નો સંદર્ભ અંતરાત્મા તરફની યાત્રા માટે છે .   સામાન્ય રીતે આપણે નિશ્ચય...

40. કર્તાભાવનો ત્યાગ

Image
  શ્લોક 2.48 માં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે , '' સફળતા અને નિષ્ફળતાના દ્વંદ્વો સાથેની એકરૂપતા ત્યાગીને , હે અર્જુન , તું કર્મ કરતાં-કરતાં યોગ એટલે કે સમત્વમાં સ્થિર થા”. બીજા શબ્દોમાં કહીએ તો જો આપણે દ્વંદ્વો સાથે એકરૂપ થવાનું બંધ કરી દઈએ તો આપણે જે કંઈ પણ કરશું એ સુમેળ ભર્યું જ થશે. આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પસંદગીઓ અને નિર્ણયો કરવાના આવે છે. સતત તોલમા૫ કરતું આપણું મન એ વિકલ્પોમાંથી પસંદગીઓ કરતું રહે છે . શ્રીકૃષ્ણ તેને માટે સુખ-દુઃખ , લાભ-હાનિ , જય-પરાજય અને સફળતા-નિષ્ફળતાઓ જેવા શબ્દોમાં વર્ગીકૃત કરે છે ( 2.38 ). સમત્વ એટલે બે પરસ્પર વિરોધાભાસો પ્રત્યે પણ સમાન વલણ રાખવું જેને સામાન્ય રીતે તેની પર જવું એવું કહેવાય છે. જયારે આ બાબત સિદ્ધ થાય છે ત્યારે વિરોધાભાસમાં આપણને ઢસડી જતું આપણું મન નબળું પડે છે અને તેનામાં એક પસંદગી રહિત જાગૃતિ નો ઉદય થાય છે. આ એક એવી ક્ષમતા છે કે જ્યારે આપણે દ્વંદ્વોને પારખતા હોવા છતાં પણ આપણે તેનાથી પર રહી શકીએ છીએ અને ત્યારે ચોક્કસપણે આપણે નિંદ્રા ધીન , નશામાં કે સુષુપ્ત હોતા નથી. ત્યારે આપણે માત્ર વર્તમાન ક્ષણમાં હોઇએ છીએ અને એક અવલોકન કર્તા ત...

39. પુનરાવર્તન એ જ પ્રભુત્વની ચાવી

Image
  કર્ણ અને અર્જુન બંને કુંતીની કૂખે જન્મેલા હોવા છતાં બંને એ પરસ્પર વિરોધી સેનાઓમાં રહીને યુદ્ધ લડવું પડેલું. કર્ણને શ્રાપ મળેલો હતો તેથી અર્જુન સામેની ખૂબ જ અગત્યની લડાઈમાં તેને પોતાનું યુદ્ધકળાનું જ્ઞાન કે તેનો અનુભવ તેને બચાવી શક્યો નહીં. તે અર્જુન સામે યુદ્ધ હારી ગયો અને મૃત્યુ પામ્યો. આ પરિસ્થિતિ આપણને પણ એટલી જ લાગુ પડે છે કારણ કે આપણે પણ કર્ણની જેમ ઘણું બધું શીખીએ છીએ , જ્ઞાન અને અનુભવ પણ અર્જિત કરીએ છીએ પરંતુ અગત્યની એવી કટોકટીની ક્ષણોએ આપણે જાગૃતિને બદલે સ્વભાવગત વલણ પ્રમાણે જ વર્તીએ છીએ કારણ કે આપણી જાગૃતિ , જરૂર કરતાં ઘણી ઓછી છે. શ્રીકૃષ્ણ આ બાબતને પૂરેપૂરી રીતે જાણે છે તેથી તેઓ વારંવાર આપણને વાસ્તવિકતા અને સત્ય વિશે જુદા-જુદા દ્રષ્ટિકોણથી ગીતામાં સમજાવે છે જેથી જાગૃતિની માત્રા વધારે ઊંડી બને અને જે તે પરિસ્થિતિમાં એ ક્ષિતિજની પેલે પાર પણ જઈ શકે. ગીતામાં એ બાબતે ભારપૂર્વક કહેવાયું છે કે આપણા બે ભાગ છે, એક આંતરિક અને બીજો બાહ્ય. આ બંને એક જ નદીના બે કિનારા સમાન છે. સામાન્ય રીતે આપણી ઓળખ આપણા બાહ્ય સ્વરૂપો જેવા કે આપણું ભૌતિક શરીર , આપણી લાગણીઓ , વિચારો અને આપણી આસપા...