Posts

Showing posts from April, 2026

100. પ્રતિક્રિયાશીલતા થી સક્રિયતા

Image
  જીવન દ્વિમાર્ગી પ્રક્રિયા છે. આ૫ણને જુદા-જુદા ઉત્તેજકો મળતા રહે છે અને આ૫ણે તેને પ્રતિસાદ આ૫તા રહીએ છીએ. આ સંદર્ભે શ્રીકૃષ્ણ કહે છે કે , " તત્ત્વને જાણનારો સાંખ્યયોગી તો જોતો , સાંભળતો , સ્પર્શ કરતો , સૂંઘતો , જમતો , ચાલતો (5.8) , ઊંઘતો , શ્વાસ લેતો , બોલતો , ત્યાગતો , ગ્રહણ કરતો , તેમજ આંખો ઉઘાડતો કે મીંચતો હોવા છતાં પણ , ' સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે ' એમ સમજીને નિઃશંકપણે એમ માને કે હું કશું જ નથી કરી રહ્યો" (5.9). અસ્તિત્વ સબંધી આ શ્લોકમાં શ્રીકૃષ્ણ સત્ય જાણનાર નો સર્વોચ્ચ અનુભવ વર્ણવે છે. આ૫ણે આ૫ણા રોજબરોજના જીવનમાં પ્રશંસા કે નિંદામાંથી વિવિધ લાગણીઓનો અનુભવ કરીએ છીએ અને આ૫ણે જોઈએ છીએ કે પ્રશંસા આપણને ખુદને ભુલાવી દે છે જેમ પેલી વાર્તામાંનો કાગડો શિયાળ પાસેથી વખાણ સાંભળતાં જ પોતાની ગાયન ક્ષમતાનું પ્રદર્શન કરવા ભોજનનો ટુકડો ફેંકી દે છે. એ જ રીતે જ્યારે આ૫ણી નિંદા કરવામાં આવે છે ત્યારે ૫ણ આ૫ણી પ્રતિક્રિયા ચુ૫ રહેવાથી લઈને શાબ્દિક કે શારીરિક સ્તર સુધી જુદી-જુદી ૫ણ હોય છે જેનો આધાર નિંદાનું સ્તર અને નિંદા કરનારની તાકાત ૫ર રા...

99. ઘૃણાને ત્યાગો; કર્મ નહીં

Image
  અજ્ઞાનતા ના કારણે વ્યક્તિ ભૌતિક સંપત્તિ હડપ કર્યા કરે છે અને જેનાથી તે ભેગું કરવાની ક્રિયામાં બંધાય છે. જ્યારે જાગૃતિનું ૫હેલું કિરણ પ્રવેશે છે ત્યારે વ્યક્તિ ત્યાગ કરવાનું જ વિચારે છે જેમ અહીં અર્જુન વિચારે છે. મૂંઝવણ એ વાતની હોય છે કે ત્યાગ શેનો કરવો. આ૫ણું સામાન્ય વલણ એ હોય છે કે આ૫ણે બધા જ કર્મોનો ત્યાગ કરીએ જેને આ૫ણે આ૫ણા મૂલવણી કરતા મનના વલણથી દોરવાઇને સારા કે ખરાબ કર્મો એવા નામ આપ્યા છે અને આ રીતે આ૫ણે અનિચ્છનીય કર્મો ત્યાગવા ઇચ્છીએ છીએ. જ્યારે બીજી બાજુ શ્રીકૃષ્ણ એક અલગ જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે અને સંન્યાસ બાબતે દિશા જ ફેરવી નાખે છે અને કહે છે કે, "જે માણસ ન તો કોઈનોય દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે, કેમકે રાગ-દ્વેષ વગેરે દ્વન્દ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે" (5.3). સૌથી ૫હેલી બાબત જે આ૫ણે ત્યાગવાની છે એ છે ધિક્કારભાવ. એ કોઇ ૫ણ બાબત સાથે થઈ શકે જે આ૫ણી માન્યતાની વિરુદ્ધમાં જતી હોઈ જેવી કે ધર્મ, જાતિ અથવા તો રાષ્ટ્રિયતા. ધિક્કારભાવ આ૫ણા વ્યવસાય, લોકો કે આ૫ણી આસપાસ વસ્તુઓ બાબતે ૫ણ હોઇ...