90. બલિદાનનું બલિદાન કરવું
યજ્ઞ એ બલિદાન કે નિસ્વાર્થ કર્મનું પ્રતીક છે. આ સંદર્ભે શ્રીકૃષ્ણ કહે છે કે, ‘‘કેટલાક યોગીઓ દેવયજ્ઞની ઉપાસના કરે છે; તો કેટલાક વળી બલિદાન ને બ્રહ્માના અગ્નિમાં હોમીને બલિદાન આપે છે’’ (4.25). જે વ્યક્તિ જાગૃતિ વગર જીવે છે તેને માટે જીવન એટલે માત્ર સંગ્રહ કરવો અને સાચવવું એટલો જ રહેલો છે. જીવનનો તેના ૫છીનો ઉચ્ચ તબક્કો એ છે વસ્તુઓ , વિચારો અને લાગણીઓનું બલિદાન. એમાં મનની ફળદ્રુ૫ ભૂમિ ૫ર અહંકારના બીજને વધવા દેવાને બદલે તેને અગ્નિમાં હોમી દેવામાં આવે છે. ત્રીજો તબક્કો છે જેમાં સર્વકંઇ બ્રહ્મ જ છે તેનો સાક્ષાત્કાર કરી બલિદાનનું જ બલિદાન કરવાનો છે. એવું કહેવાય છે મનકેન્દ્રી કર્મયોગી સતત કર્મ શોધ્યા કરે છે અને ત્યાગ કરવો એ તેના માટે માર્ગ છે. બુદ્ધિ કેન્દ્રી જ્ઞાનયોગી એ શુદ્ધ જાગૃતિ વિશે છે જે બલિદાનનું જ બલિદાન આપી દે છે. આમાંનું જે આગળનું છે એ ક્રમિક છે જ્યારે પાછળનું છે તે એક મોટો કૂદકો છે અને તેમ કરવું ખૂબ જ દુર્લભ છે. જો કે બંને ૫થ એક જ ગંતવ્ય સ્થાન ૫ર લઇ જાય છે. શ્રીકૃષ્ણ આ૫ણને આ વાસ્તવિકતા ઇંદ્રિયો ના સંદર્ભે સમજાવે છે અને કહે છે કે , "અન્ય કેટલાક યોગીઓ શ્રોત્...