55. વિષચક્ર અને શુભચક્ર
વિષચક્રો અને શુભચક્રો ઘટનાઓની ઘટમાળ પ્રમાણે એક પછી એક આવ્યા જ કરે છે અને તેના પરિણામો અનુક્રમે દુઃખ કે સુખ પ્રાપ્ત થાય છે. જો આપણી આવક કરતાં ખર્ચાઓ વધુ હોય તો આપણે ઉધારી અને દેવામાં સપડાઈ જઈએ છે , આ એક વિષ ચક્ર છે. જો ખર્ચાઓ કરતા આવક વધુ હોય તો બચત થાય છે અને સંપત્તિ નિર્માણ થાય છે , આ એક શુભ ચક્ર છે. શ્રીકૃષ્ણ આ ચક્રો વિશે શ્લોકો 2.62 થી 2.64 માં જણાવે છે. શ્રીકૃષ્ણ કહે છે કે , " વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે , આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે , મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે , સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાનશક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાની એ પુરુષનું પોતાની સ્થિતિથી નું પતન થાય છે" (2.62-2.63). આ મનુષ્યની પડતીનું વિષચક્ર છે. તો બીજી બાજુ શ્રીકૃષ્ણ કહે છે કે , "પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે" (2.64). આ બીજું ક...