75. ધર્મ એક જ છે
શ્રીકૃષ્ણ કહે છે કે , " સારી રીતે આચરવામાં આવેલા પરધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ સ્વધર્મ ઘણો ચઢિયાતો છે , સ્વધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે , જયારે પરધર્મ તો ભયપ્રદ છે" (3.35). આ શ્લોકની જટિલતા આપણા મનમાં સ્પષ્ટતા કરતાં શંકા વધારે જન્માવે છે. એક દ્રષ્ટિએ જોવા જતાં આ શ્લોક કુરુક્ષેત્રના યુદ્ધમાં પૂરે પૂરો અર્જુનને જ લાગુ પડે છે. અર્જુન એ યુદ્ધની ક્ષણ સુધી ક્ષત્રિય ધર્મનું પાલન કરતો હતો અને અચાનક જ પછીની ક્ષણે સંત બની જવાની ઇચ્છા રાખે છે. આ પ્રકારનું પરિવર્તન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને શ્રી કૃષ્ણ આ શ્લોકમાં એ જ કહેવા માંગે છે. જયારે ધર્મ કે વાસ્તવિકતા એક જ છે ત્યારે આપણે તેને જુદી-જુદી રીતે સમજીએ છીએ જેમ પેલી વાર્તાના પાંચ અંધ વ્યક્તિઓ તેમના સ્પર્શ દ્વારા એક જ હાથી ને જુદી-જુદી રીતે જુએ છે. જો કોઈ વ્યક્તિ તેને હાથીદાંત તરીકે સમજે તો એ તેની વાસ્તવિકતા અથવા તો સ્વધર્મ છે. આ શ્લોક આગળ સૂચવે છે કે જો કોઈ વ્યક્તિ તેને હાથીદાંત તરીકે સમજે છે તેણે તેને પગ અથવા પૂંછડી તરીકે સમજનાર લોકોના સુંદર રીતે પ્રસ્તુત વર્ણનને અપનાવવાનો પ્રયાસ કરવાને બદલે તેના પોતાના જ માર્ગને અન...