Posts

Showing posts from August, 2025

75. ધર્મ એક જ છે

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " સારી રીતે આચરવામાં આવેલા પરધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ સ્વધર્મ ઘણો ચઢિયાતો છે , સ્વધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે , જયારે પરધર્મ તો ભયપ્રદ છે" (3.35). આ શ્લોકની જટિલતા આપણા મનમાં સ્પષ્ટતા કરતાં શંકા વધારે જન્માવે છે. એક દ્રષ્ટિએ જોવા જતાં આ શ્લોક કુરુક્ષેત્રના યુદ્ધમાં પૂરે પૂરો અર્જુનને જ લાગુ પડે છે. અર્જુન એ યુદ્ધની ક્ષણ સુધી ક્ષત્રિય ધર્મનું પાલન કરતો હતો અને અચાનક જ પછીની ક્ષણે સંત બની જવાની ઇચ્છા રાખે છે. આ પ્રકારનું પરિવર્તન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને શ્રી કૃષ્ણ આ શ્લોકમાં એ જ કહેવા માંગે છે. જયારે ધર્મ કે વાસ્તવિકતા એક જ છે ત્યારે આપણે તેને જુદી-જુદી રીતે સમજીએ છીએ જેમ પેલી વાર્તાના પાંચ અંધ વ્યક્તિઓ તેમના સ્પર્શ દ્વારા એક જ હાથી ને જુદી-જુદી રીતે જુએ છે. જો કોઈ વ્યક્તિ તેને હાથીદાંત તરીકે સમજે તો એ તેની વાસ્તવિકતા અથવા તો સ્વધર્મ છે. આ શ્લોક આગળ સૂચવે છે કે જો કોઈ વ્યક્તિ તેને હાથીદાંત તરીકે સમજે છે તેણે તેને પગ અથવા પૂંછડી તરીકે સમજનાર લોકોના સુંદર રીતે પ્રસ્તુત વર્ણનને અપનાવવાનો પ્રયાસ કરવાને બદલે તેના પોતાના જ માર્ગને અન...

74. શ્રદ્ધા આનંદ લાવે છે

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " જે માણસો દોષદ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે , તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે" (3.31). શ્રદ્ધાને સામાન્ય રીતે વિશ્વાસ કે માન્યતાના અર્થમાં લેવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તે તેનાથી ઘણું જ પરનું છે. આ શ્રદ્ધાની સ્થિતિમાં આપણે સર્વ શંકાઓ થી મુક્ત થઈ જઈએ છે અને આપણા બધા જ પ્રશ્નો પણ ઓગળી જાય છે. માનવજાત એમ જ સમજતી હતી કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે અને આ માન્યતા ત્યાં સુધી ચાલુ રહી કે જ્યાં સુધી તેનાથી ઊલટી સ્થિતિ નું ભાન ન થયું. આ રીતે માન્યતા એ બહારની બાબતો પર અવલંબે છે જ્યારે શ્રદ્ધા એ આંતરિક ગુણ છે. બીજું , કે માન્યતા તેના જ વિરોધી દ્વંદ્વ અમાન્યતા સાથે અસ્તિત્વ ધરાવે છે જ્યારે શ્રદ્ધા એ બંનેને અતિક્રમી જાય છે. ત્રીજી બાબત શ્રદ્ધા એ અંધવિશ્વાસ થી ભિન્ન છે કે જેમાં વ્યક્તિ તેની માન્યતા ની વિપરીત બાજુ સાંભળવા જ નથી ઇચ્છતી. શ્રદ્ધામાં બધી બાબતોનું એકત્વ સાધવા નું હોય છે. માન્યતા કે વિશ્વાસ એ ઉછીના લઇ શકાય, જ્યારે શ્રદ્ધા તો શુદ્ધ રૂપે અનુભવ કેન્દ્રી હોય છે. સમગ્રતા ને ગ્રહણ કરવા માટે વિરોધાભાસને પણ સમજવા અનિવાર્ય હોય ...

73. સમર્પણની કળા

Image
  શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે , " મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો , મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર" (3.30). આ શ્લોકએ ગીતાનો સાર છે અને આપણને દૈનિક જીવન ના ઘણા સંદેહોના ઉકેલ મળે છે. આપણો પહેલો સંદેહ છે કે 'આપણે શું કરવું', અને એ એટલા માટે ઉદ્ભવે છે કે આપણે જે કરી રહ્યા છીએ તેનાથી ખુશ નથી હોતા અને આપણને એમ લાગે છે કે આનંદ કોઈક બીજી ક્રિયામાં છે. આ શ્લોક આપણને સમજાવે છે કે ' જે કામ તમારા હાથ પર છે તેને આપણી શ્રેષ્ઠ ક્ષમતાથી કરો' પછી ભલે તે આપણે પસંદ કર્યું હોય કે આપણા પર થોપવામાં આવ્યું હોય. એ કુ રુ ક્ષેત્રના યુદ્ધ જેટલું ક્રૂર અને જટિલ પણ હોઈ શકે કે જેમાં યા તો વ્યક્તિ મૃત્યુ પામે છે યા મારે છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, આપણી જટિલ માનવ સંરચના એક કોષમાંથી ઉત્ક્રાંતિ પામી છે જ્યાં દરેક ક્રિયા (૫રિવર્તન) અગાવની ક્રિયા સાથે જોડાયેલી છે. તેથી જ હાથ ૫રની કોઇ ૫ણ ક્રિયા હંમેશા ભૂતકાળની ક્રિયાઓની શ્રેણીના પરિણામ રૂપે હશે કેમકે કોઈ એકલ ક્રિયા નથી. બીજો પ્રશ્ન ઉદ્ભવે છે કે 'કેવી રીતે કરવું...