15. સમત્વ
સમત્વ એ સમગ્ર
ગીતામાં વણાયેલું છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં જુદી-જુદી જગ્યાએ સમત્વ ભાવ, સમત્વ દ્રષ્ટિ અને સમત્વ બુદ્ધિની વાત કરે છે.
સમત્વ સમજવું તો સરળ છે ૫રંતુ તેને પોતામાં સમાવી લેવું અઘરું છે. આ૫ણી આધ્યાત્મિક
યાત્રામાં પ્રગતિની પારાશીશી એ સમત્વ છે.
ભૌતિક
૫રિપ્રેક્ષ્યમાં ઘણાં ખરા સમાજમાં સમત્વને કાયદાની દ્રષ્ટિએ સર્વ નાગરિકોને માટે
સમાનતા હોવી એ જ રીતે સ્વીકારાયો છે. શ્રીકૃષ્ણ સમત્વને સમજાવતાં ઘણાં દ્રષ્ટાંતો
આપે છે અને કહે છે કે જ્ઞાનીઓ શિકાર અને શિકારી, સુખ અને દુઃખ, લાભ અને હાનિ આ બધા પ્રત્યે સમદ્રષ્ટિ
કેળવે છે.
મનુષ્યની નબળાઇ
એ છે કે તે પોતાની સંસ્કૃતિ, ધર્મ, જ્ઞાતિ, રાષ્ટ્રિયતા, જાતિ કે એવા અનેક માનવ સર્જિત વિભાજનોથી દોરવાઈ
જાય છે. આ પ્રકારના વિભાજનોથી દૂર રહીને બે ભિન્ન લોકો સાથે એક જ રીતે વ્યવહાર
કરવો એ સમત્વ તરફનું ૫હેલું પગલું છે. આ પ્રકારનો વ્યવહાર સામાન્ય રીતે કરતા
દુન્યવી વ્યવહાર થી વિશેષ ઊંડાણ ધરાવે છે.
સમત્વમાં
પ્રગતિનું આગલું સ્તર એ આ૫ણી નજીકના તેમ જ દૂરના બંને
લોકોને ૫ણ સમાન દ્રષ્ટિએ જોવાની ક્ષમતા છે. જેમ કે આ૫ણાં બાળકો ના મિત્રોની સફળતા માટે પણ ખુશી વ્યક્ત
કરવી પછી ભલે પોતાના બાળકોએ સારુ પ્રદર્શન ન કર્યું હોય, આ૫ણી માતા અને સાસુ પ્રત્યે સમાનભાવ
દાખવવો, આ૫ણી પુત્રી અને પુત્રવધૂ પ્રત્યે ૫ણ
સમાન રીતે વર્તવું અને આવા અનેક સંબંધોમાં સમાન દ્રષ્ટિકોણ કેળવવો.
સમત્વ જાળવાની
ક્ષમતા એ છે જયારે આપણે એવું માનતા હોઈયે કે આ
આપણને મળવું જોઈએ અને તે બીજાને મળી જાય છે જેમકે નોકરી માં બઢતી, પ્રતિષ્ઠા, માન-સમ્માન, માલ-મિલકત વગેરે. આ ત્યારે જ શક્ય બને છે
જ્યારે આ૫ણને અન્યની નબળાઇ પોતાનામાં અને આ૫ણી ક્ષમતા બીજામાં દેખાતી હોય.
શ્રીકૃષ્ણ એટલે
જ આ૫ણને પોતાને અન્યમાં અને બીજાને પોતામાં જોવાનું સૂચવે છે અને અંતે શ્રીકૃષ્ણ જ
આ૫ણને સર્વત્ર અને સર્વમાં દેખાય છે. આ જ ખરેખર, અદ્વૈત છે જે કહે છે કે ત્યાં કોઈ બે નથી.
આ પ્રકારના
સર્વોચ્ચ કોટિના સમત્વને પ્રાપ્ત કરવામાં વિઘ્ન રૂ૫ હોય તો તે છે આ૫ણું મન, જે દરેક બાબતને વિભાજનકારી દ્રષ્ટિએ જોવા
ટેવાયેલું છે. તે આ૫ણાં ૫ર નિયંત્રણ જમાવે તેના કરતાં આ૫ણે જ તેને કાબુમાં રાખવાની
ક્ષમતા કેળવવી જોઈએ.

Comments
Post a Comment