Posts

72. ધારણાઓના કેદી

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે ; એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે" (3.29). ગુણો જ વાસ્તવમાં સાચા કર્તા હોવાની સાથે-સાથે તેઓમાં આપણને સંમોહિત કરવાની અને આપણને એવી રીતે અભિમંત્રિત કરવાની ક્ષમતા હોય છે કે આપણે આપણો સાચો સ્વભાવ ભૂલી જ જઈએ છીએ. જ્યાં સુધી આપણને એ ભાન નથી થતું કે આપણે તેના વડે અભિમંત્રિત છીએ ત્યાં સુધી આપણે મંત્રમુગ્ધ જ રહીએ છીએ. શ્રી કૃષ્ણ અજ્ઞાનીઓ અને જ્ઞાનીઓની વાત કરે છે. અજ્ઞાની લોકો ગુણોની માયા હેઠળ સંમોહિત હોય છે અને તેઓને એમ જ લાગે છે કે તેઓ જ કર્તા છે (3.27) અને તેથી તેઓ કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા ,   ક્યાંક પોતાનું મહત્વ વધારવા , કે લોકોનું ધ્યાન ખેંચવાની ઇચ્છા ધરાવતા હોય છે અને પદ-પ્રતિષ્ઠાને માટે લડાઈ કરે છે. સાથે-સાથે તેઓ પોતાના પરિવાર , કામની જગ્યાએ કે સમાજમાં અન્ય લોકોને પણ કર્તા માને છે અને એવી અપેક્ષા રાખે છે કે તેઓ પોતાની અપેક્ષા પ્રમાણે વર્તન કરે અથવા તો કર્મ કરે. આ કાયમી અપરાધ ભાવ , ૫સ્તાવો , ગુસ્સો અને સતત ઝુલતા સફળત...

71. ગુણોની પરસ્પર પ્રક્રિયા

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે , છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની ' હું કર્તા છે ' એમ માને છે (3.27). ગુણવિભાગ અને કર્મવિભાગના તત્ત્વને જાણનારા જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો" (3.28). સમગ્ર ગીતામાં વણાયેલ એક સર્વ સામાન્ય વાત એ છે કે બધા જ કર્મો એ ગુણો વચ્ચે ની પરસ્પર પ્રક્રિયાઓ જ છે. સત્વ , તમો અને રજો આપણામાંના દરેકમાં જુદા-જુદા ભાગે વિદ્યમાન છે. સત્વગુણ એ જ્ઞાન સાથેની આસક્તિ છે ; રજોગુણ એ કર્મ સાથેની આસક્તિ છે અને તમસ આપણને અજ્ઞાનતા અને આળસ તરફ લઈ જાય છે. અત્રે એ બાબત નોંધનીય છે કે કોઈ ગુણ બીજા કોઈપણ ગુણ કરતા વધારે સારો કે ખરાબ નથી ; એ માત્ર ગુણ જ છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિમાં રજોગુણની માત્રા વધારે હશે તો તેઓ સતત ક્રિયાશીલ જ રહેશે અને તેઓ પૂરતી ઊંઘ નહી કરી શકે આ રીતે ઊંઘ વા માટે તેઓને તમસની જરૂર પડશે. બીજી બાબત એ કે આપણે વર્તમાન ક્ષણમાં આપણા પર પ્રભુત્વ જમાવવાર ગુણ બાબતે જાગૃત થવાની જરૂર છે. ઉદાહરણ તરીકે તમસની અસર હ...

70. સમયને તક આપો

Image
  એક ફળ વિકસિત થઇ અને પાકે ત્યાં સુધી જરૂરી પોષણ પોતાના પાલક વૃક્ષમાંથી મેળવે છે. પરંતુ પાકી ગયા બાદ તે વૃક્ષ થી અળગું થઈને પોતાની સ્વતંત્ર યાત્રા આરંભે છે. વૃક્ષ થી મુક્ત થવાની આ યાત્રા દરમિયાન ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું હોય છે અને અંતે સ્વયં એક વૃક્ષ બનવાનું હોય છે. ત્યારે બીજી બાજુએ એક અપરિપક્વ ફળ , તે પાકે નહીં ત્યાં સુધી તેના પાલક વૃક્ષ સાથે તેને જોડાઇને રહેવું પડે છે. એક પાકેલા ફળે કોઈ અપરિપક્વ ફળને વૃક્ષ છોડવા માટે લલચાવવું જોઈએ નહીં કારણ કે તે હજી સ્વતંત્ર યાત્રા માટે તૈયાર નથી. તે જો જરૂરી પોષણ મેળવવા માટે પાલક વૃક્ષ પર પૂરતો સમય નહીં ગાળે તો તે નાશ પામશે. તેથી જ શ્રીકૃષ્ણ કહે છે કે , " પરમાત્માના સ્વરૂપમાં અચળભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે ; પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળાં કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે" (3.26) . આ વાત કૃષ્ણની એ જ વાત નો વિસ્તાર છે કે જેમાં કૃષ્ણ એવા લોકો વિશે વાત કરે છે કે જેઓ બળપૂર્વક પોતાની કર્મેન્દ્...

69. અભિનેતા ૫ણ અને પ્રેક્ષક ૫ણ

Image
  આપણા રોજિંદા જીવનમાં કાં તો આપણે કોઈ ક્રિયાથી આસક્ત થઈ જઈએ છે અથવા તો આપણે તેનાથી વિરક્તિ (અણગમો કે નીરસતા ) અનુભવીએ છીએ. તેને બદલે શ્રીકૃષ્ણ એક ત્રીજી સ્થિતિની વાત કરે છે - અનાસક્તિ , જે આ બંનેની પર છે. તે કહે છે કે , " કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે , આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે" (3.25). આસક્તિ કે વિરક્તિને આધારે થયેલા કર્મો આપણને દુઃખી કરી શકે. પ્રિયજન (આસક્તિ) ની હાજરી આપણને ખુશ કરે છે અને તેની ગેરહાજરી આપણને દુઃખી કરે છે. તે જ રીતે આપણને ન ગમતી વ્યક્તિ (વિરક્તિ) ની હાજરી આપણને દુઃખી કરે છે અને તેની ગેરહાજરીથી આપણને શાંતિ મળે છે. આ બંને, આસક્તિ કે વિરક્તિ આપણને સુખ અને દુઃખ ના દ્વંદ્વ વચ્ચે સતત ઝુલાવતી રહે છે. તેથી શ્રી કૃષ્ણ આપણને બંનેથી પર થઈ અનાસક્ત ભાવે કર્મો કરવાનું કહે છે. જ્યારે કર્મો અનાસક્તિ ભાવે થાય છે ત્યારે કરુણા નો પ્રવાહ વહેવા લાગે છે જેને જગત કલ્યાણ સમાન ગણી શકાય . પરંતુ જ્યારે કર્મો આસક્તિ અથવા તો વિરક્તિ ભાવે કરવામાં આવે છે   ત્યારે તે એક કચરા ગાડીની જેમ સર્વત્ર કચરો જ ઠાલવે છે અન...

68. કથની અને કરણીમાં સમાનતા

Image
  બાળકો દુનિયાને સમજવામાં , નવી વસ્તુઓ શીખવામાં , શિષ્ટચાર વર્તણૂંક જેવી અનેક બાબતોમાં પોતાના માતા-પિતાને આદર્શ માને છે અને એટલે જ એવું કહેવાય છે કે બાળઉછેરનો ઉત્તમ માર્ગ છે કે આપણે પોતાની કથની અને કરણીમાં સમાનતા સાધીને શ્રેષ્ઠ દૃષ્ટાંત પૂરું પાડીએ. આ જ નિર્ભરતા જીવનના પાછળના તબક્કામાં પણ ચાલુ રહે છે. એ નિર્ભરતા મિત્રો , શિક્ષકો કે માર્ગદર્શકો પરની હોઈ શકે. તેનો અર્થ એ થયો કે આપણી આસપાસ એવા લોકો હોય છે કે જેઓ આપણા પર આધારિત હોય અને આપણું માર્ગદર્શન ઈચ્છતા હોય. આપણે જે કંઈ પણ કરીએ તેની અસર તેઓ પર પડતી હોય છે. આ સંદર્ભે જ શ્રીકૃષ્ણ કહે છે જે "શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે , અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે ; તે જે કંઈ પ્રમાણ કરી આપે છે , સકળ માનવ-સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે" (3.21). શ્રીકૃષ્ણ આગળ કહે છે કે , " મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીયે પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે , છતાંય હું કર્મમાં જ વર્તું છું (3.22). જો કદાય હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય , કારણકે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે (3.23). આથી જ...

67. ચિંતિત અને નિશ્ચિંત

Image
  શ્રીકૃષ્ણ આ૫ણને એ વાતની ખાતરી આપે છે કે આસક્તિ રહિત થઇ કર્મ કરવાથી આ૫ણે ૫રમ તત્ત્વને પ્રાપ્ત કરીશું (3.19) અને તેઓ રાજા જનકનું ઉદાહરણ આપે છે કે જેમણે માત્ર કર્મને માર્ગે ચાલીને પૂર્ણતા પ્રાપ્ત કરી (3.20). શ્રીકૃષ્ણ એ વાત પર વિશેષ ભાર મૂકે છે કે એક રાજા કે જે સતત આનંદ પ્રમોદના સાધનો વચ્ચે જીવતો હોય અને તેને અનેક ગણી જવાબદારી ઓ પણ હોય તે પણ જો આસક્તિથી રહિત થઇ કર્મ કરે તો તે પરમ તત્ત્વને પામી શકે છે એ જ રીતે આપણે પણ આપણા સંજોગો ગમે તેવા હોય તો પણ પરમ તત્ત્વને પામી શકીએ. ઇતિહાસમાં એવા ખૂબ જૂજ દાખલાઓ છે કે જેમાં બે બુદ્ધત્વ પ્રાપ્ત વ્યક્તિઓએ પરસ્પર વાર્તાલાપ કર્યો હોય. એવા વાર્તાલાપો માં નું એક એટલે રાજા જનક અને ઋષિ અષ્ટાવક્ર વચ્ચેનો વાર્તાલાપ જે અષ્ટાવક્ર ગીતા તરીકે ઓળખાય છે અને તે સાધ કો માટે સર્વશ્રેષ્ઠમાંનું એક ગણાય છે. એક દંત કથા અનુસાર એક વખત એક ગુરુ પોતાના શિષ્યોમાંના એકને કે જેની પાસે લંગોટ અને એક ભિક્ષાપાત્ર સિવાય કશું જ ન હતું અને જે પૂર્ણ સાદગી પૂર્વક રહેતો હતો તેને અંતિમ શિક્ષા માટે રાજા જનક પાસે મોકલે છે. તે રાજા જનક પાસે આવે છે અને નવાઈ પામે છે કે ગુરુએ તે...

66. સમર્પણ અથવા સંઘર્ષ

Image
  જીવન જીવવાના બે માર્ગો છે. એક છે સંઘર્ષ અને બીજો છે સમર્પણ. સમર્પણ નો માર્ગ એ કંઇ યુદ્ધમાં હારેલા નિઃસહાય વ્યક્તિના સમર્પણ જેવો નથી આ સમર્પણ તો જાગૃતિ પૂર્વકનું અને સક્રિય સ્વીકાર સાથેનું સમર્પણ છે. સંઘર્ષ એ હંમેશા બીજા કરતાં આગળ નિકળવામાં ; આપણને જે સહજ આપવામાં આવ્યું છે એના કરતાં વધુ મેળવવામાં કે પછી આપણી પાસે જે છે તેનાથી કશુંક જુદું પ્રાપ્ત કરવા માટે કરવો પડે છે. જ્યારે બીજી બાજુ સમર્પણમાં તો પ્રત્યેક જીવંત ક્ષણને માટે ધન્યતાનો ભાવ રહેલો છે. શ્રીકૃષ્ણ કહે છે કે , '' જો કોઈ વ્યક્તિ સૃષ્ટિ ચક્રનું અનુસરણ નથી કરતી અને ઇંદ્રિયમાં જ રચી૫ચી રહે છે તો તેનું જીવન વ્યર્થ છે '' ( 3.16). જે વ્યક્તિ ઇન્દ્રિયોને સંતોષવાના માર્ગે છે , તેને માટે જીવન સંઘર્ષ જ રહેશે કેમકે તે ક્યારેય સંતોષાવાની નથી . આ પ્રકારનો સંઘર્ષ જીવનમાં તણાવ, ચિંતા અને દુઃખ નીપજાવે છે અને પરિણામે જીવન વ્યર્થ થઈ જાય છે. શ્રીકૃષ્ણ અસ્તિત્વના ચક્રને સમજાવવા માટે વરસાદનું ઉદાહરણ આપે છે (3.14). વરસાદ એ બાષ્પીભવન પામીને વરસાદ રૂપે વરસતા જળની નિસ્વાર્થ ક્રિયા સૂચવે છે. આવી નિસ્વાર્થ ક્રિયાઓ સર્વોચ્ચ શક્તિ...