Posts

65. નિઃસ્વાર્થ કર્મો સર્વોચ્ચ શક્તિ ધરાવે છે

Image
  જળ એ પૃથ્વી પરના જીવનને માટે અનિવાર્ય છે અને શ્રીકૃષ્ણ નિસ્વાર્થ કર્મોને સમજાવવા માટે વરસાદનું ઉદાહરણ આપે છે (3.14). મૂળભૂત રીતે , વરસાદ એ જળચક્રનો એવો ભાગ છે કે જેમાં ગરમીને લીધે પાણી બાષ્પીભવન પામે છે અને તેનાથી વાદળાં બંધાય છે. અને જ્યારે યોગ્ય પરિસ્થિતિ નિર્માણ પામે છે ત્યારે તે વરસાદ રૂપે ફરી પૃથ્વી પર આવે છે. આ પ્રક્રિયામાં બધી જ ક્રિયાઓ નિસ્વાર્થ થાય છે અને શ્રીકૃષ્ણ તેમને ' યજ્ઞકાર્ય ' કહે છે. સમુદ્ર પોતાના પાણીનું બાષ્પીભવન થવા દે છે કે જેથી વાદળાં બંધાય અને વાદળાં પોતાના અસ્તિત્વનું બલિદાન આપીને વરસાદમાં પરિણમે છે. આ બંને ક્રિયાઓ યજ્ઞરૂપી નિસ્વાર્થ ક્રિયાઓ છે. શ્રીકૃષ્ણ એ બાબત સમજાવે છે કે યજ્ઞરૂપી આ નિસ્વાર્થ ક્રિયા સર્વોચ્ચ વાસ્તવિકતા કે સર્વોચ્ચ શક્તિ ધરાવે છે (3.15). શરૂઆતમાં આ જ શક્તિનો ઉપયોગ કરીને રચનાકા રે આ રચના કરી (3.10)   અને દરેકને એમ સૂચવ્યું કે આનો જ ઉપયોગ દરેક આગળ વધવા માટે કરે (3.11). આમ આ જ બાબતને આપણે અનુસરીએ તો આપણે પરમ વાસ્તવિકતા સાથે આપણી જાતને જોડીએ છીએ અને યજ્ઞરૂપી નિસ્વાર્થ કાર્યથી તેની જ શક્તિનો ઉપયોગ કરીએ છીએ. વરસાદની એકબીજા સાથે ...

64. હંમેશા પોતાનું શ્રેષ્ઠ આપો

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " તું નિયત કર્તવ્ય કર્મ કર ; કેમકે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે , તેમજ કર્મ ન કરવાથી તારો શરીર-નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય" (3.8). ભોજન એકત્રિત કરવું અને તેને આરોગવું એ માનવ શરીરના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અનિવાર્ય કર્મો છે. વળી માનવ શરીરમાં અનેક અંગો , તંત્રો અને રસાયણો આવેલા છે તેઓ પણ નિયમિત પણે આંતરિક ક્રિયાઓ કરતા જ રહે છે. જો તેમાંથી એક બે પણ યોગ્ય રીતે ન થાય તો આપણા શરીરની સંવાદિતા ભંગ થાય છે અને તેને લીધે શરીરને નુકસાન પહોંચે છે અથવા તો શરીર નાશ પામે છે. તે રીતે જોવા જતાં નિષ્ક્રિયતા થી શરીરનો રખરખાવ સંભવ જ નથી . શ્રીકૃષ્ણ અહીં ફરજના ભાગ રૂપે આવતા કર્મો કરવાની વાત કરે છે એ ખૂબજ સૂક્ષ્મ વિચાર છે.   પવિત્ર ગ્રંથોમાં વર્ણિત રીતિરિવાજો અથવા તો સમાજ તરફથી આપણને મળેલ ફરજોને સામાન્ય રીતે આપણે આ૫ણી ફરજો કહી શકીએ. પરંતુ શ્રીકૃષ્ણ આપણને જે કહેવા માગે છે એ રીતે જોતા આ બંને વ્યાખ્યાઓનો વ્યાપ ટૂંકો પડે છે. આપણી ફરજ આ ભૌતિક જગતમાં ઉચ્ચતમ ક્ષમતા પ્રાપ્ત કરવાની છે. ઉદાહરણ તરીકે જેમ એક બીજ વિશાળ વૃક્ષ બને છે કે જે રીતે એક કોષ વિકાસ પામતાં-પામત...

63. ભ્રમણા અને દંભ

Image
  જો કર્મ ના કર્તા આપણે નથી તો આ કર્તા કોણ છે ? શ્રીકૃષ્ણ જવાબ આપે છે કે , '' વ્યક્તિ ક્ષણભર માટે પણ કર્મ કર્યા વિના રહી શકતી નથી કારણ કે પ્રકૃતિ જન્ય ગુણોથી બાધિત દરેક વ્યક્તિ એ કર્મો કરવા જ પડે છે '' ( 3.5). અણુનાં ત્રણ કણો , ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનથી આ સમસ્ત ભૌતિક જગત નિર્માણ પામે છે.   એ જ રીતે સત્વ , તમો અને રજો આ ત્રણ ગુણો આપણને કર્મ કરવા તરફ દોરી જવા માટે જવાબદાર છે. એ રીતે જોતાં સાચા કર્તા આ ગુણો જ છે. શ્રીકૃષ્ણ આગળ કહે છે કે , " જે મૂઢબુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપર-ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે , તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે" (3.6) .       આપણા સૌનો પારિવારિક અને સામાજિક સ્તરે ઉછેર એવી રીતે થયો છે કે જેમાં સારા વર્તનને માટે પુરસ્કાર અને ખરાબ વર્તનને માટે સજા મળે છે. આને પરિણામે આપણું વ્યક્તિત્વ બે ભાગોમાં વહેંચાઈ જાય છે અને આપણા આંતરિક ‘સ્વ’ અને બહારના ‘સ્વ’ વચ્ચે કોઈ સંવાદિતા રહેતી નથી. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વ્યક્તિ આપણી લાગણી દુભાવે છે ત્યારે આપણે આપણા શબ્દો અને ...

62. ‘હું’ થી સંન્યાસ

Image
  શ્રીકૃષ્ણ અર્જુનને જવાબ આપે છે, ''જે રીતે મેં અગાઉ કહ્યું કે આ જગતમાં મોક્ષના બે માર્ગો છે - જ્ઞાનીઓ માટે જ્ઞાન માર્ગ અને યોગીઓ માટે કર્મનો માર્ગ'' (3.3). આ શ્લોક એમ સૂચવે છે કે જાગૃતિનો માર્ગ બુદ્ધિ કેન્દ્રી વ્યક્તિ માટે છે અને કર્મનો માર્ગ મન કેન્દ્રી વ્યક્તિ માટે છે. શ્રીકૃષ્ણ આગળ સ્પષ્ટતા કરે છે કે, ''માત્ર કર્મને અવગણવાથી વ્યક્તિ નિષ્કર્મ પ્રાપ્ત કરી શકતી નથી અને માત્ર સંન્યસ્ત ગ્રહણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી'' (3.4).    સંન્યાસ ને લગભગ દરેક સંસ્કૃતિમાં ખૂબ પ્રતિષ્ઠા અપાઈ છે કારણ કે ત્યાગ કરનારા કંઈક એવું કરી શકે છે કે જે સામાન્ય વ્યક્તિ કરી શકતી નથી. એટલે જ આપણામાંના ઘણા લોકોને અર્જુન ની વિચારધારા વધુ યોગ્ય લાગે છે જ્યારે તે સામ્રાજ્ય મેળવવાના વૈભવ અને યુદ્ધની પીડાથી સંન્યાસ લેવા માગે છે. શ્રીકૃષ્ણ પણ સંન્યાસ ના પક્ષમાં જ છે પરંતુ તે આપણને દરેક કર્મમાંથી ‘હું’ પણાંના ભાવનો ત્યાગ કરવા કહે છે. શ્રીકૃષ્ણ માટે યુદ્ધ એ કોઈ મુદ્દો નથી, પણ અર્જુનનું 'હું' પણું એ છે. શ્રીકૃષ્ણને માટે, નિર્-મમ અને નિર્-અહંકાર એ શાશ્વત સ્થિતિનો માર્ગ છે (...

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા

Image
  ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ તરીકે ઓળખાય છે. એ શ્લોક 2.71 નું વિસ્તૃતીકરણ છે જેમાં શ્રીકૃષ્ણએ કહ્યું કે ‘ નિર્ -મમ’ અને ‘ નિર્ -અહંકાર’ એ શાશ્વત સ્થિતિ પામવાનો માર્ગ છે. અહીં અર્જુન એક શંકા ઊભી કરે છે અને પૂછે છે કે , '' જો આપના મતે બુદ્ધિ (જાગૃતિ) જ શ્રેષ્ઠ હોય તો શા માટે આપ મને આ ભયંકર કર્મ (યુદ્ઘ) કરવાનું કહો છો ( 3.1 ) . મારે માટે જે શ્રેષ્ઠ અને કલ્યાણકારી હોય એ નિશ્ચય પૂર્વક કહેવાને બદલે આપ મને દ્વિઅર્થી વચનોથી શાથી મૂંઝવી રહ્યા છો '' (3.2 ). કોઈપણ વિભાજનથી હંમેશા અતાર્કિક કે આવેશ પૂર્વક નિર્ણયો લેવાય છે જે કોઈ જ પુરાવા આધારિત ન હોવાથી શ્રીકૃષ્ણ તેનો ત્યાગ કરવા ની સલાહ આપે છે ( 2.50 ). અર્જુને યુદ્ધમાંથી ભાગી જવાનો નિર્ણય માત્ર એક જ બાબતને આધારે લીધો કે તે પોતાના પરિવારજનોને મારીને કોઈનું હિત જોતો નથી ( 1.31 ). અને તે પોતાના નિર્ણયની રક્ષા કરવા માટે ઘણા બધા ખુલાસા એકત્રિત કરે છે અને તેનો આ વર્તમાન પ્રશ્ન પણ તેના નિર્ણયને સાચો ઠેરવવાનો જ ભાગ હોય એવું લાગે છે નહીં કે આ પોતાની સમજણ વધારવા માટે પૂછેલો પ્રશ્ન હોય. આપણી સ્થિતિ પણ અર્જુન કરતાં જરા પણ ભિન્ન નથી ક...

60. વિષાદથી બુદ્ધત્વ સુધી

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર , અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓનાં પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે , તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે , તે જ પુરુષ પરમ શાંતિ પામે છે , ભોગોને ઇચ્છનારો નહીં (2.70). તેઓ આગળ કહે છે "જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો , અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત તે શાંતિને પામેલો છે (2.71). આ બ્રહ્મનેપામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે ; આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે" (2.72). આ શાશ્વત સ્થિતિ (મોક્ષ-૫રમમુક્તિ , આનંદ અને કરૂણા) માટે શ્રીકૃષ્ણ સમુદ્ર નુ ઉદાહરણ આપે છે, જેમાં સમુદ્રમાં પાણી લાવતી નદીઓ એ આપણા ઇંદ્રિયો દ્વારા સતત અનુભવાતી ઉત્તેજનાઓ છે. જે વ્યક્તિએ આ શાશ્વત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે તે તૃષ્ણાઓ કે ઇચ્છાઓ જાગતી હોવા છતાં પણ એક સમુદ્રની જેમ સ્થિર અને અવિચલિત રહે છે. બીજી વાત એ કે જ્યારે નદીઓ સમુદ્રમાં મળે છે ત્યારે તે પો...

59. ભૌતિક જાગૃતિ અને આધ્યાત્મિક નિંદ્રા

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે , તે નિત્ય જ્ઞાનસ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિતપ્રજ્ઞ યોગી જાગે છે , અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળાં પ્રાણીઓ જાગે છે , પરમાત્માના તત્ત્વને જાણનાર મુનિ માટે તે રાત્રી સમાન છે" (2.69). આ શ્લોકમાં રૂપક પ્રયોજીને "ભૌતિક રીતે જાગૃત પરંતુ આધ્યાત્મિક રીતે સુષુપ્ત" કે તેનાથી વિપરીત દશા વિશે કહેવાયું છે. તે શાબ્દિક રીતે પણ સમજી શકાય છે. જીવવાની બે શક્યતાઓ રહેલી છે, એક કે જેમાં આપણે સુખ માટે આપણી ઇંદ્રિયો પર નિર્ભર હોઇએ અને બીજી કે જેમાં આપણે આપણી ઇંદ્રિયોથી મુક્ત થઈએ અને તેને આપણા નિયંત્રણમાં રાખીએ. જે લોકો પહેલી શ્રેણીમાં આવે છે તેના માટે જીવનને બીજી રીતે જીવવું એ અજુગતું છે અને શ્લોક માં જે રાત્રિ શબ્દ પ્રયોજ્યો છે એ આજ અજ્ઞાન સૂચવે છે. બીજું એ કે જ્યારે આપણે આપણા ઇંદ્રિયના કોઈ એક અંગનો ઉપયોગ કરતા હોઇએ છીએ ત્યારે આ૫ણું ધ્યાન ક્યાંક બીજે હોય છે અને એટલે જ એ સમજી શકાય છે કે તેનો ઉપયોગ યાંત્રિક રીતે થઈ રહ્યો છે , અને જાગૃતિ પૂર્વક નહીં. ઉદાહરણ તરીકે જ્યારે આપણે ભોજન લેતા હોઇએ છે ત્યારે આપણું ...